ભૂંકપના કારણે હજી સુધી કોઈ જાનહાનિ અહેવાલ મળ્યાં નથી
અરૂણાચલ પ્રદેશમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.આ આંચકાઓ સવારે 10.11 વાગ્યે પેંગિનથી 237 કિ.મી ઉત્તરથી ઉત્તર-પૂર્વ સુધી અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. જો કે, અત્યાર સુધી ભૂકંપને કારણે ભારે નુક્સાન કે જાનહાની કોઈ અહેવાલ મળ્યાં નથી
આ પહેલા 19મી પણ અરૂણાચલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં
આ પહેલા 19 સપ્ટેમ્બરે અરુણાચલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે અરુણાચલના ચાંગલાંગથી 70 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં 3: 6 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે લોકો ગભરાટમાં હતા. જો કે, જાનહાનિ અથવા સંપત્તિના કોઈ નુકસાનના અહેવાલ નથી.
આંદામાન અને નિકોબારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
બીજી બાજુ કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડીમાં પણ શુક્રવારે રાત્રે 8:35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. જો કે, ત્યાં પણ અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ નુકસાનના અહેવાલ મળ્યા નથી.
કેમ આવે છે ભૂકંપ આંચકા ?
પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકસાથે અટવાયેલી રહે છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં, પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ તે વધારે છે અને કેટલાક સ્થળો ઓછા છે.