24 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના નવા મોટેરા સ્ટેડિયમ પહોંચશે. તેમની મુલાકાત પહેલા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટેડિયમ નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારોને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું છે.
અમદાવાદમાં ટ્રમ્પના આગમનની તડામાર તૈયારી
45 પરિવારોને મનપાએ જગ્યા ખાલી કરવાની ફટકારી નોટીસ
ઉલ્લેખીય છે કે, મહાનગરપાલિકાએ તમામ પરિવારોને સ્થળ ખાલી કરવા નોટિસ ફટકારી છે. બંને નેતાઓ મોટેરામાં નવા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે અને ત્યાં એક સભાને સંબોધન કરશે. આ સભામાં એક લાખ લોકો પહોંચે તેવી સંભાવના છે.
2 દાયકાથી વસવાટ કરે છે આ 45 પરિવારો
45 families living in slum near newly-built Motera stadium in Ahmedabad served eviction notices by civic body ahead of visit by US President #DonaldTrump & PM Narendra Modi on Feb 24
અત્રે જણાવી દઇએ કે, આ 200 લોકોનું કહેવું છે કે, અમે અહીં 2 દાયકાથી રહીએ છીએ અને નમસ્ટે ટ્રમ્પ કાર્યક્રમને કારણે અહીંથી ચાલ્યા જવાનું અમને કહેવામાં આવ્યું છે.
ઓછા સમયગાળામાં અમારે ક્યાં જવું ?
જે 45 પરિવારને અમદાવાદ મહા નગરપાલિકા અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગે નોટિસ ફટકારી છે તેઓ તે 65 પરિવારોમાં સામેલ છએ જે મોટેરા સ્ટેડિયમના 1.5 કિલોમીટરના અંતરે રહે છે. દાહોદના રહેવાસી એક શ્રમિકે જણાવ્યું હતું કે, અધિકારીઓએ એકાએક આવીને અમને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું છે. હવે આટલા ટૂંકા સમયગાળામાં અમે અહીંથી કેવી રીતે અને ક્યાં જઇએ ?
ઝુપડપટ્ટી ઢાંકવા માટે કરવામાં આવી દિવાલ
અમદાવાદ આમ તો સ્માર્ટ સીટી કહેવાય છે પરંતુ એરપોર્ટથી ઈન્દીરાબ્રીજ સુધીના વિસ્તારમાં આવેલ સરણીયા વાસ કે જ્યા ગરીબો તેમની ઝુંપડપટ્ટી બાંધીને રહે છે. તેઓ વિદેશી મહેમાનોની નજરમાં ન આવે તે માટે આ દીવાલ બનાવી તેમને ઢાંકવામાં આવી રહ્યા છે. હાંસોલ ગામથી શરૂ કરવામાં આવી ગરીબીની દીવાલ છેક ઈન્દીરાબ્રીજ સુધી પહોંચી છે. 7 ફૂટ ઊંચી દીવાલ 1 કિમિના અંતરમાં બનાવામાં આવી છે. જેથી ગરીબોની દીવાલ પાછળ ઝુંપડા ઢંકાઈ જાય અને સ્માર્ટ સીટીની આબરૂ વિદેશી મહેમાન સામે બચી જાય. ત્યારે હવે આ મામલે સામાજિક કાર્યકર્તાઓ મેદાને આવી છે.
આ દિવાલ પાછળ 1000થી વધુ ગરીબ લોકો કરે છે વસવાટ
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસને લઈને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું છે. આ ગરીબીની દીવાલ પાછળ સરણીયા વાસ વિસ્તાર છે. જ્યાં 1000થી વધુ ગરીબ લોકો વસવાટ કરે છે. રોજ કમાઈને રોજ ખાતા આ ગરીબ લોકો ચૂંટણી સમયે વોટ પણ સરકારને જ આપે છે. આ લોકોને ઢાંકવા પાછળનો વાંક એ જ છે કે તમામ ગરીબ છે જે કોર્પોરેશન તંત્ર દ્વારા 7 ફૂટ ઊંચી દીવાલ બનાવી તેમને ઢાંકવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધી પાણી ગટર જેવી કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી.