મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 44 હજારથી વધુ કેસ નોંધાયા છે એકલા મુંબઈમાં 19474 કેસ છે.
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાનો પ્રચંડ વિસ્ફોટ
એક દિવસમાં 44 હજારથી વધુ કેસ
એકલા મુંબઈમાં 19474 કેસ
ભારતમાં ત્રીજી લહેરની શરુઆત થઈ ચૂકી છે. દેશમાં મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં દૈનિક કોરોનાના કેસે રેકોર્ડ તોડ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 44,000થી વધુ કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં કોરોનાના 19474 કેસ નોંધાયા છે.
ત્રીજી લહેરમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પીડિત રાજ્ય, દૈનિક રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે
ત્રીજી લહેરમાં કોરોનાથી સૌથી વધારે પીડિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાજ્યમાં કોરોના માઝા મૂકી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની પ્રચંડ ત્રીજી લહેર શરુ થઈ છે. રાજ્યમાં હવે દૈનિક કેસનો આંકડો 40,000ને પાર પહોંચવા લાગ્યો છે. ત્યારે હવે કેટલાક નવા પ્રતિબંધોની વચ્ચે આજે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન્સ જારી કરીને પ્રતિબંધોમાં ફેરફાર કર્યાં છે.
રાજ્યમાં હવે લોકડાઉનની તાતી જરુર
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થયો છે ત્યારે હવે રાજ્યમાં લોકડાઉનની ખરી જરુર આવી છે. આગામી દિવસમાં ઠાકરે સરકારે હજુ પણ કડક પ્રતિબંધો લાગુ પાડે તેવી શક્યતા છે. સરકાર લોકડાઉન પણ લાગુ પાડી શકે છે.
મુંબઈમાં એક દિવસમાં કોરોનાના 19474 નવા કેસ
એકલા મુંબઈમાં કોરોનાના 19474 કેસ નોંધાયા છે.
Mumbai records 19,474 COVID cases, 8,063 recoveries, and 7 deaths today
નવી ગાઈડલાઈન અનુસાર બ્યૂટી સલુનને વાળ કાપનાર સલૂનની સાથે જોડવામાં આવશે અને 50 ટકા ક્ષમતાની સાથે ખોલી શકાશે. જિમ 50 ટકા ક્ષમતાની સાથે ખોલી શકાશે. રાજ્ય સરકારે વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકોને જ આ સેવાઓનો ઉપયોગ કરવાની પરમિશન આપી છે. શનિવારે આ સેવા બંધ રાખવાનો આદેશ અપાયો છે. નવી ગાઈડલાઈન્સ પહેલાની જેમ 10 જાન્યુઆરીથી લાગુ પડશે.
મુંબઈમાં નાઈટ કર્ફ્યુ લાગુ
આ ઉપરાંત આવશ્યક સેવાઓ સિવાય રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લોકોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં, એમ સરકારી આદેશમાં જણાવાયું છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રવૃત્તિઓ અને શિક્ષકોની વહીવટી પ્રવૃત્તિઓ સિવાય શાળાઓ અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. કચેરીના વડાઓની લેખિત પરવાનગી વિના કોઈને પણ સરકારી કચેરીઓમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
Maharashtra reports 44,388 new COVID cases, 15,351 recoveries, and 12 deaths today
લગ્ન, ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમોમાં માત્ર 50 લોકોને જ મંજૂરી
આ સાથે લગ્ન અને સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અથવા રાજકીય કાર્યક્રમોમાં લોકોની મહત્તમ મર્યાદા 50 નક્કી કરવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં 20 થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં. સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, વેલનેસ સેન્ટર અને બ્યુટી સલૂન સંપૂર્ણપણે બંધ રહેશે. હેર કટિંગ સલૂન 50 ટકા ક્ષમતા પર કામ કરશે.
રાજ્યમાં શનિવારે કોરોનાના નોંધાયા હતા 41,434 કેસ
દેશમાં મહારાષ્ટ્ર ત્રીજી લહેરનું સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. શનિવારે કોરોનાના 41,434 કેસ નોંધાયા હતા.