સંકટગ્રસ્ત શ્રીલંકાને ભારતે 44,000 ટનથી વધુ યુરિયા સહિત બીજી કેટલીક સહાયની જાહેરાત કરી છે.
સંકટગ્રસ્ત શ્રીલંકાને પહેલી મદદ મળી ભારત તરફથી
ભારતે બજાવ્યો પડોશી ધર્મ
શ્રીલંકાને પુરુ પાડ્યું 44,000 ટન યુરીયા
ભારતે ચાલુ વર્ષે શ્રીલંકાને 3.8 બિલિયન ડોલરની સહાય આપી
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને એક સમયે ભારત તરફથી ઘણી મદદ આપવામાં આવી છે. આ વખતે ભારતે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને કરજમાફી અંતર્ગત 44,000 ટનથી વધુ યુરિયા પૂરું પાડ્યું છે. ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું કે, શ્રીલંકાના ખેડૂતોને સમર્થન અને ખાદ્ય સુરક્ષા માટે દ્વિપક્ષીય સહકાર વધારવાના ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે આ સહાય આપવામાં આવી છે.શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલેએ કૃષિ પ્રધાન મહિન્દા અમરવીરા સાથે મુલાકાત કરી હતી અને તેમને માહિતી આપી હતી કે 44,000 ટનથી વધુ યુરિયા આવી ગયું છે. ભારતના હાઈ કમિશને ટ્વિટમાં જણાવ્યું હતું કે, "હાઈ કમિશનરે શ્રીલંકાના કૃષિ પ્રધાન સાથે મુલાકાત કરી હતી અને તેમને ભારત દ્વારા શ્રીલંકાને આપવામાં આવેલી લોન સુવિધા હેઠળ શ્રીલંકાને પૂરા પાડવામાં આવતા 44,000 ટનથી વધુ યુરિયા વિશે માહિતગાર કર્યા હતા."
As Sri Lanka occupies central place in our Neighbourhood First policy, India gave unprecedented support of USD 3.8 billion this year: MEA
ભારતે ચાલુ વર્ષને શ્રીલંકાને આપી 3.8 બિલિયન ડોલરની સહાય
ભારત વિદેશ મંત્રાલયે એવું જણાવ્યું કે પડોશી પહેલાની નીતિ હેઠળ શ્રીલંકા ભારતના હૃદયમાં પહેલું સ્થાન ધરાવે છે. ભારતે ચાલુ વર્ષે શ્રીલંકાને 3.8 બિલિયન ડોલરની અભુતપૂર્વ સહાય આપી હતી.
India stands with people of Sri Lanka as they seek to realise aspirations for prosperity and progress through democratic means, values: MEA
ભારત સરકાર શ્રીલંકાને મદદનો પ્રયાસ કરી રહી છે- વિદેશમંત્રી જયશંકર
શ્રીલંકામાં હાલમાં રાજકીય અને આર્થિક સંકટને કારણે લોકો રણે ચડ્યાં છે. દેશમાં દિનપ્રતિદિન હાલત ખરાબ થઈ રહી છે. લોકો રસ્તા પર છે અને રાષ્ટ્રપતિ ભાગી નીકળ્યાં છે. ભારતે તેના પડોશી દેશ શ્રીલંકાને તેની રાજકીય અને આર્થિક કટોકટીમાં તમામ પૂરી પાડવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં વિદેશમંત્રી એસ જયશંકરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જયશંકરે રવિવારે કહ્યું હતું કે ભારત સરકાર હંમેશાં શ્રીલંકાને ટેકો આપતી રહી છે અને તે તેના હાલના આર્થિક સંકટ દરમિયાન પડોશી દેશને "મદદ કરવાનો પ્રયાસ" કરી રહી છે અને સ્પષ્ટ કર્યું હતું કે "અત્યારે કોઈ શરણાર્થી કટોકટી નથી.
India has extended this year itself an unprecedented support of over US$ 3.8 billion for ameliorating the serious economic situation in Sri Lanka. We continue to follow closely the recent developments in Sri Lanka: MEA#SriLankaEconomicCrisispic.twitter.com/boTjbJ2VHq
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં હાલમાં લોકો પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગણીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકો બે વાર રાષ્ટ્રપતિ પેલેસમાં ઘુસી ગયા હતા અને તેઓ હિંસાનો આશરો લઈ રહ્યાં છે. દેશમાં રાજકીય અને આર્થિક સંકટને કારણે લોકો દેખાવ કરી રહ્યાં છે. ખુદ સરકારને ખબર પડતી નથી કે હવે શું કરવું.