યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહી સલામત રીતે મુંબઈ આવ્યા
યુક્રેનથી મુંબઈ આવી પહોચ્યા ગુજરાતના વિધાર્થી
રેસ્કયુ ફલાઇટ મારફતે સહી સલામત આવ્યા મુંબઈ
સવારે આવી પહોચશે આ વિધાર્થીઓ અમદાવાદ
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહી સલામત રીતે મુંબઈ આવી પહોંચ્યા છે. આ 44 યુવા વિદ્યાર્થીઓ ને ગુજરાત સરકાર ના માર્ગ વાહન વ્યવહાર નિગમ જી.એસ આર ટી.સી ની બે વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવશે અને તેમના વતન પહોચાડવા ની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે. મુંબઈ એરપોર્ટ આવી પહોંચેલા આ યુવાઓ ના મુખ પર હેમખેમ ભારત પરત આવી ગયા નો આનંદ દેખાઈ રહ્યો હતો. આ યુવાઓને ગુજરાત સરકાર ના અધિકારીઓ એ એરપોર્ટ પર આવકાર્યા હતા.
પ્રથમ ફ્લાઈટ આવી દિલ્હી
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે કર્યું સ્વાગત
યુક્રેનથી આવેલા 219 પ્રવાસીઓ મુંબઈમાં ઉતર્યાં ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ત્યાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ ઊભા હતા અને તેમણે તમામ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર તમામ પ્રવાસીઓની તપાસ કરાઈ
ભારત સરકારના નિયમ મુજબ એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ કરાઈ હતી. તેમના વેક્સિનના ડોઝ અને આરટી-પીસીઆર રિપોર્ટની તપાસ કરવામાં કરવામાં આવી હતી.
સરકારે ભારતીયોને પાછા લાવવા રોમિનિયા મોકલી હતી પહેલી ફ્લાઈટ
યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલો લોકોને સ્વદેશ લાવવા માટે એર ઈન્ડીયાની એક સ્પેશિયલ ફ્લાઈટને રોમાનિયા રવાના કરવામાં આવી હતી. યુક્રેને યુદ્ધને પગલે તેનો હવાઈ વિસ્તાર બંધ કરી દીધો હોવાથી ત્યાં વસતા ભારતીયોને જુદી જુદી બોર્ડરેથી ભારત લાવવાનો સરકાર પ્લાન કર્યો હતો જે હેઠળ પહેલા તબક્કામાં 219 લોકોને યુક્રેનમાંથી ખસેડીને રોમાનિયા લાવવામાં આવ્યાં હતા અને ત્યાંથી સરકાર મોકલેલી વિશેષ ફ્લાઈટમાં તેમને મુંબઈ લવાયા હતા.
યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેનના પક્ષમાં વોટિંગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં રશિયાના એક લાખથી પણ વધારે સૈનિકો યુક્રેનની જમીન પર છે. ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમનો રાજકીય સહયોગ માગ્યો છે. યુક્રેનની એવી ઈચ્છા છે કે ભારત યુએનમાં તેના પક્ષમાં વોટિંગ કરે.
રશિયાએ ભારતનો આભાર માન્યો
રશિયાએ ભારતનો આભાર મા્નયો છે. રશિયાએ ટ્વિટ કરીને કહ્યું કે 25 ફેબ્રુઆરી, 2022ના દિવસે UNSCમાં વોટિંગના દિવસે ભારતની સ્વતંત્ર અને સંતુલિત સ્થિતિની કદર કરીએ છીએ. વિશેષ અને વિશેષાધિકાર રણનીતિક ભાગીદારીની ભાવનાને અનુરુપ, રશિયા યુક્રેનના મુદ્દે ભારત સાથે ગાઢ સંવાદ ચાલુ રાખવાની કટિબદ્ધ છે.