રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યોનો સપથગ્રહણ સમારોહ આજે દિલ્હી ખાતે એકદમ સાદગી સાથે યોજાયો હતો. આ સમારોહમાં દેશના નવા ચૂંટાઇ આવેલા 44 નવા સાંસદોએ પદની ગોપનીયતાના સપથ લીધા હતા. ત્યારે ગુજરાતના 4 રાજ્યસભાના સભ્યોએ શપથ લીધા હતા.
રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યોએ લીધા શપથ
ગુજરાતના 4 રાજ્યસભાના સભ્યોએ પણ આજે લીધા શપથ
કોરોનાને કારણે સાદગીથી યોજાયો શપથ ગ્રહણ સમારોહ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સભ્યોએ આજે દિલ્હી ખાતે શપથ લીધા હતા. જેમાં ગુજરાતના ભાજપના અભય ભારદ્વાજ, રમિલાબેન બારા, નરહરી અમિને શપથ લીધા. જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે શપથ લીધા. ગાઇડલાઇન મુજબ શપથગ્રહણ સમારોહ યોજાયો છે.
દેશના નવા 44 સાંસદોએ લીધા શપથ
આ સાથે જ ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસ દિગ્વિજય સિંહ સહિત રાજ્યસભાના 44 સાંસદોએ આજે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ કોરોના ચેપને કારણે ખૂબ જ સરળતા સાથે કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની ચેમ્બરમાં નવા સભ્યોને શપથ ગ્રહણ કર્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 22, 2020
કોરોનાને કારણે સાદગીથી ઉજવાયો સપથ ગ્રહણ
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી. 20 રાજ્યોમાંથી ચૂંટાયેલા કુલ 62 સાંસદોએ શપથ લેવાના હતા, જેમાંથી 44 લોકોએ આજે શપથ લીધા હતા.
સાંસદોએ વિવિધ 10 ભાષામાં લીધા શપથ
આપને જણાવી દઇએ કે, નવા ચૂંટાઈ આવેલા સાંસદોએ વિવિધ 10 ભાષાઓમાં શપથ લીધા હતા. કોરોનાન કારણે સામાજિક અંતરનું પાલનર કરતાં ચેરમેન હાઉસમાં બધાને શપથ અપાવવામાં આવી હતી. રાજ્યસભાના 61 સભ્યો ચૂંટાયેલા છે. જે પૈકી આજે 44 સભ્યોએ શપથ લીધી છે. આ 44માં ભાજપના 18 સભ્ય છે. આવું પહેલીવાર થયું છે કે સદન ચાલતું ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં સાંસદોને શપથ અપાવવામાં આવ્યા છે.