અમેરિકામાં 44 સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પત્ર લખીને કહ્યું છે કે ભારતને ફરીથી GSP (જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ) કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે, કારણ કે બંને દેશોની વચ્ચે વ્યાપારિક સમજૂતી સરળતાથી થઇ શકે.
અમેરિકાએ આ વર્ષે જૂનમાં ભારતને પોતાની જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરેન્સેજ કાર્યક્રમથી બહાર કર્યું હતું
આ કાર્યક્રમ હેઠળ ભારતને અમિરેકા સાથે વેપાર કરવા પર આયાત ફી માં પણ વિશેષ છૂટ મળતી હતી
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપ 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં જીએસપી પર ચર્ચા કરી શકે છે
અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝરને લખવામાં આવેલા પત્રમાં સાંસદે કહ્યું છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે આપણા ઉદ્યોગ માટે બજારોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની રહેશે. કેટલાક નાના મુદ્દાને કારણે તેની પર અસર ન પડવી જોઈએ.
અમેરિકાને પણ નુકસાન
કોંગ્રેસ સાંસદ જિમ હાઇમ્સ અને રૉન એસ્ટેસની તરફથી લખેલા પત્રમાં 26 ડેમોક્રેટ્સ અને 18 રિપલ્બિલક સાસંદોએ હસ્તાક્ષર કર્યા છે. કોલિશન ફૉર જીએસપીના એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર ડૈન એન્થનીનું કહેવું છે કે ભારતથી જીએસપી દરજ્જો છીનવાઇ ગયા બાદથી જ અમેરિકાની કંપનીઓ સંસદને નોકરીઓ અને આવકના નુકસાન માટે જણાવી રહી છે.
એન્થની અનુસાર ભારતીય નિકાસકારોની હાલત જીએસપી હટ્યા બાદ પણ સારી છે, જ્યારે અમેરિકન કંપનીઓને પ્રતિદિન દસ લાખ ડૉલર (સાત કરોડ રૂપિયા)નવા ટેરિફ તરીકે ચુકવવા પડી રહ્યા છે. નવા આંકડા અનુસાર, માત્ર જુલાઇમાં જ અમેરિકાની કંપનીઓને ત્રણ કરોડ ડૉલર (214 કરોડ રૂપિયા) નું નુકસાન થયું છે.
અમેરિકાનો જીએસપી કાર્યક્રમ શું છે?
અત્યાર સુધી ભારત જીએસપી હેઠળ સૌથી મોટો લાભાર્થી દેશ માનવામાં આવતો હતો, પરંતુ ટ્રંપ પ્રશાસનની આ કાર્યવાહી નવા દિલ્હી સાથે એના વેપાર સંબંધી મુદ્દા પર કડક વલણ અપનાવી રહી છે. જીએસપીને વિભિન્ન દેશોથી આવનારા હજારો ઉત્પાદોને ફી મુક્ત પ્રવેશની અનુમતિ આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું હતું.
ભારતને આ યાદીમાંથી કેમ બહાર કરવામાં આવ્યું?
ટ્રંપે ભારતને યાદીથી બહાર કરતાં કહ્યું હતું કે એમને ભારતથી એવો ભરોસો મળી શક્યો નહીં કે એ પોતાના બજારમાં અમેરિકાના ઉત્પાદોને બરાબરની છૂટ આપશે. એમને કહ્યું હતું કે ભારતમાં પ્રતિબંધોના કારણે અમેરિકાના વેપારને નુકસાન થયું રહ્યું છે. ભારત જીએસપીના માપદંડ પૂરું કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમેરિકાએ ગત વર્ષે એપ્રિલમાં જીએસપી માટે નક્કી શરતોની સમીક્ષા શરૂ કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રંપ સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે મોદી
માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના સમયે જીએશપી પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે ચર્ચા કરી શકે છે. એવામાં શક્યતા છે કે બંને નેચા આ દરમિયાન લાંબા સમયથી વિવાદનું કારણ બનેલા વેપારના મુદ્દા પર સમજૂતી પણ કરશે.