કેરળના કાસરગોડમાં એક લગ્નના સમયે કોરોના પ્રોટોકોલનું પાલન કરાયું નહીં. આ કારણે વર વધૂ સહિત 43 મહેમાનો કોરોના વાયરસથી સંક્રમિત થયા. પોલિસે આ કેસમાં વધૂના પિતાની વિરુદ્ધમાં કેસ નોંધ્યો છે. દુલ્હનના પિતાની વિરુદ્ધ કેરળ મહામારી અધિનિયમના આધારે કેસ નોંધાયો છે. આ લગ્ન 17 જુલાઈના રોજ થયા હતા.
કેરળમાં યોજાયો લગ્ન સમારોહ
સમારોહમાં વર વધૂ સહિત 43 મહેમાનો થયા સંક્રમિત
પોલીસે વધૂના પિતા વિરુદ્ધ નોંધ્યો કેસ
પોલીસે જણાવ્યું છે કે લગ્ન સમારોહમાં 50થી વધારે લોકો સામેલ થયા હતા. તેઓએ કહ્યું કે વર વધૂ અને અન્ય 41 લોકો આ લગ્નનો ભાગ બન્યા હતા. કોરોનાની તપાસમાં આ તમામ પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ લગ્ન સમારોહ કાસરગોડમાં યોજાયો હતો. અહીં અત્યાર સુધી કોરોનાના 658 કેસ નોંધાયા છે.
આ જગ્યાઓએ લગ્ન સમારોહમાં કોરોનાના કારણે બની આવી ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ બિહારમાં એક લગ્નમાં 111 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને લગ્નના અન્ય દિવસે વરનું મૃત્યુ થયું હતું. પટનામાં પાલીગંજમાં પણ એક લગ્ન યોજાયો અને અન્ય દિવસે વરનું મૃત્યુ નીપજ્યું, લગ્નમાં સામેલ લોકોમાં પણ કેટલાકને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તમામ મહેમાનોના સેમ્પલ લેવાયા અને તેમાંથી 9 સંક્રમિત જણાયા હતા.
પરિવારની માનીએ તો વર લગ્ન પહેલાં ગાડીમાં દિલ્હીથી બિહાર આવ્યો હતો. અહીં તેને થોડા દિવસ આઈસોલેશનમાં રહેવું પડ્યું, પરિવારનું કહેવું છે કે લગ્ન પહેલાં કોરોનાના લક્ષણો જોવા મળયા હતા. લગ્નના અન્ય દિવસે તેનું મોત નીપજ્યું. અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા સ્થાનીય દુકાનદાર, શાકવાળો અને મીઠાઈ વાળાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેના કારણે તંત્રની ચિંતા વધી હતી.