ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત થયા છે. સૌથી વધુ મોત કેદારનાથ યાત્રા દરમિયાન થયા છે.
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 મુસાફરોના મોત થયા
ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે ભારે વરસાદના કારણે યાત્રા રોકી દેવાઈ હતી
મંગળવારે સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે.
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત થયા છે. સૌથી વધુ મોત કેદારનાથ યાત્રા દરમિયાન થયા છે. આ દરમિયાન 15 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, યમુનોત્રીમાં 14, બદ્રીનાથમાં 8 અને ગંગોત્રીમાં 4 તિર્થયાત્રીઓના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હાઈ બ્લડ પ્રેશર, હ્રદય સંબંધિત બીમારીઓ, પર્વતારોહણની બીમારીઓથી શ્રદ્ધાળુઓના મોત થયા છે.
ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે મુશળધાર વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી.
ઉત્તરાખંડમાં વરસાદ બંધ થયા બાદ બદ્રીનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે રાત્રે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. મંગળવારે સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. ચમોલીમાં મુશળધાર વરસાદ, લામ્બાગઢમાં ખાચડા નાળામાં પાણી વધવા અને બલદુડામાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર હનુમાન ચટ્ટી અને બદ્રીનાથ વચ્ચે યાત્રા રોકી દેવામાં આવી હતી. મુસાફરોને પાંડુકેશ્વર, બદ્રીનાથ જોશીમઠ, પીપલકોટી, ચમોલી અને ગૌચર ખાતે રોકવામાં આવ્યા હતા.
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 મુસાફરોના મોત થયા
બીજી તરફ ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત થયા છે. સૌથી વધુ મોત કેદારનાથ યાત્રા દરમિયાન થયા છે. આ દરમિયાન 15 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ યમુનોત્રીમાં 14, બદ્રીનાથમાં 8 અને ગંગોત્રીમાં 4 તીર્થયાત્રીઓના મોત થયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ શ્રદ્ધાળુંઓના મોત હાઈ બ્લડ પ્રેશર, હ્રદય સંબંધિત બીમારીઓ, પર્વતારોહણની બીમારીઓથી મોત થયા છે. આવી સ્થિતિમાં, આવા મુસાફરોને વહીવટીતંત્ર દ્વારા મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે, જે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે.
અત્યાર સુધીમાં કેટલા તિર્થયાત્રિકો મુલાકાત લીધી
ચારધામ યાત્રામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. હાલત એવી છે કે કેદારનાથ અને બદ્રીનાથમાં અનેક કિલોમીટર લાંબી લાઈનો છે. સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બદ્રીનાથના દ્વાર ખુલ્યા બાદ 8 મેથી 16 મેની સાંજ સુધી 1,76,463 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. બીજી બાજુ કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખથી એટલે કે 6 મેથી 16 મે સુધી, 2,13,640 શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે. ભારે ભીડને જોતા ફરી એકવાર ચારધામ યાત્રામાં મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. ભીડ પર નિયંત્રણ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. હવે દરરોજ 16,000 ભક્તો બદ્રીનાથ, કેદારનાથમાં 13,000, ગંગોત્રીમાં 8,000 અને યમુનોત્રીમાં દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.