ચીનથી પાછા ફર્યા પછી, તેઓને સાવચેતીના પગલા તરીકે આઇટીબી દ્વારા બનાવવામાં આવેલા એક વિશેષ કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તપાસ કરવામાં આવી, અંતિમ તપાસમાં તમામ 406 લોકોને કોરોનાવાયરસ ચેપ લાગ્યો ન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. સોમવાર સવારથી તેમને તબક્કાવાર રજા આપવામાં આવશે.
ચીનમાં કોરોનાનો કહેર યથાવત
ભારત પરત ફરેલ 406 લોકોનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ
સોમવારથી તમામ લોકોને ઘરે જવા દેવાશે
ચીનમાં કોરોનાવાયરસ ચેપને કારણે વધુ 142 લોકોના મોત સાથે, મૃત્યુની કુલ સંખ્યા વધીને 1,665 થઈ ગયો છે. ચેપના કુલ 68,500 કેસોની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, ચાઇનાના વુહાનથી પરત ફર્યા પછી આઇટીબીપી સેન્ટરમાં રાખવામાં આવેલા તમામ 406 લોકોની અંતિમ તપાસમાં, તેઓને કોરોનાવાયરસથી ચેપ લાગવાની પુષ્ટિ થઈ નથી.
406 લોકોને કોરોનાનો ચેપ ન લાગ્યો હોવાની પુષ્ટિ
ચીનથી પરત ફર્યા બાદ, તેઓને સાવચેતીના પગલા તરીકે આઇટીબી દ્વારા તૈયાર કરવામાં આવેલા એક વિશેષ કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તપાસ કરવામાં આવી, અંતિમ તપાસમાં તમામ 406 લોકોને કોરોનાવાયરસ ચેપ લાગ્યો ન હોવાની પુષ્ટિ થઇ હતી. સોમવાર સવારથી તેમને તબક્કાવાર રજા આપવામાં આવશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
આઇટીબીપીના ખાસ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા ચીનથી પરત ફરેલ લોકોને
Delhi: Final test reports of all 406 people (who travelled from Wuhan, China) at ITBP Quarantine Facility in Chhawla, found negative. Dispersal of people from centre to commence from tomorrow in a phased manner, based on the advisory of Health Ministry with due medical procedures pic.twitter.com/2APwqw8uM1
શુક્રવારે, ડોકટરોની ટીમે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઇટીબીપી) ના એક અલગ કેન્દ્રથી આ તમામ લોકોના નમૂના એકત્રિત કર્યા હતા.
સોમવારથી તમામ લોકોને ઘરે મોકલવાની કરવામાં આવશે કામગીરી
આઇટીબીપીના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે તમામ લોકોના નમૂનાઓની તપાસ કર્યા પછી, પુષ્ટિ મળી છે કે તેમાંના કોઈને પણ કોરોનાવાયરસથી ચેપ લાગ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય દ્વારા યોગ્ય તબીબી પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ સાથેની પરામર્શના આધારે સોમવારથી તબક્કાવાર રીતે તમામ 406 વ્યક્તિને રજા આપવામાં આવશે.