ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લામાં શિક્ષિત બેકાર યુવાનોનો આકંડો 44,984 છે. આટલા યુવાનો ભણેલા ગણેલા છે પરંતુ તેમને નોકરી નથી. ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા સામે સરકારી રોજગાર મેળવનારાઓની સંખ્યા ઓછી હોવાનું ખુદ ગુજરાત સરકારે ગઇકાલે ગુજરાત વિધાનસભામાં જાહેર કરેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે. ગુજરાતમાં 4,24,990 જેટલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે જેની સામે બે વર્ષમાં માત્ર 5,497 બેરોજગારોને સરકારી નોકરી અપાઇ છે.
અમદાવાદમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી
વડોદરા જિલ્લામાં 27,666 બેરોજગારો
સુરત જિલ્લામાં 24, 020 બેરોજગારો
વિધાનસભાના શિયાળુ સત્રમાં મળ્યો જવાબ
અમદાવાદમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ધારાસભ્ય ગ્યાસુદ્ધીન શેખના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ આપતા કહ્યું કે શહેર અને જિલ્લામાં કુલ 44,384 શિક્ષિત બેરોજગારો છે. MLA ગ્યાસુદ્દીન શેખના પ્રશ્ન પર સરકારનો ગૃહમાં જવાબ આવ્યો હતો જેમાં બેરોજગારી એક ગંભીર વિષય તરીકે ઉભરી આવ્યો છે.
અમદાવાદમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી
છેલ્લા 2 વર્ષમાં અમદાવાદના 171 ઉમેદવારોને નોકરી મળી છે. જ્યારે 2 વર્ષમાં 93,294 ઉમેદવારોને ખાનગી રોજગારી મળી છે. શહેર અને જિલ્લામાં કુલ 44,384 શિક્ષિત બેરોજગારો છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદના 171 ઉમેદવારને સરકારી નોકરી મળી છે.
ચોમાસુ સત્રમાં મળ્યો હતો જવાબ
ગુજરાતમાં કોંગ્રેસના વિધાનસભ્યોએ પ્રશ્નોત્તરીમાં રોજગાર કચેરીઓમાં કેટલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે અને બે વર્ષમાં કેટલા બેરોજગારોને રોજગારી પુરી પાડવામાં આવી તે મુદ્દે પ્રશ્નો પુછયાં હતા તેના જવાબમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતના 33 જીલ્લાઓમાં 4,02,391 શિક્ષિત અને 22,599 અર્ધશિક્ષિત બેરોજગારો છે. બે વર્ષમાં 5,497 વ્યક્તિઓને સરકારી નોકરી અપાઇ છે.
વડોદરા જિલ્લામાં 27,666 બેરોજગારો
વડોદરા જીલ્લામાં 26,775 શિક્ષિત અને 891 અર્ધશિક્ષિત મળી કુલ 27,666 બેરોજગારો નોંધાયા છે તેમાંથી એક પણ વ્યક્તિને બે વર્ષમાં સરકારી નોકરી મળી નથી.
સુરત જિલ્લામાં 24, 020 બેરોજગારો
સુરત જીલ્લામાં 23,141 શિક્ષિત અને 879 અર્ધશિક્ષિત મળી કુલ 24, 020 બેરોજગારો નોંધાયા છે તેમાંથી એક પણ વ્યક્તિને બે વર્ષમાં સરકારી નોકરી મળી નથી.
ક્યા કોને મળી નોકરી
બે વર્ષમાં ગુજરાતના વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબી જીલ્લામાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી.જ્યારે સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરકારી નોકરી અપાઇ છે જેમાં બનાસકાંઠા જીલ્લામાં 989 બેરોજગારોને, પાટણ જીલ્લામાં 794 અને મહેસાણા જીલ્લામાં 756 બેરોજગારોને સરકારી નોકરી અપાઇ છે.
જુલાઈ 2019ના સત્રમાં પુછાયો હતો પ્રશ્ન
કોંગ્રેસના વિધાનસભ્યોએ જુલાઈ 2019ના વિધાનસભામાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં ગુજરાત સરકારે રોજગારીના આંકડા જાહેર કર્યા હતા જેમાં બે વર્ષમાં ગુજરાતના વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબી જિલ્લામાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી.