આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારમાં એવી માન્યતા છે કે, ગદર્ભનું માંસ પીઠનો દુખાવો અને અસ્થમાને મટાડે છે. ગદર્ભનું માંસ પશ્ચિમ ગોદાવરી, પ્રકાશમ, કૃષ્ણા અને ગુંટુર જિલ્લામાં લોકો વેચે અને ખાય છે.
દેશમાં ગદર્ભની સંખ્યામાં નોંધાય છે સતત ઘટાડો
2019ની ગણના મુજબ ગદર્ભની વસ્તી છે 12 લાખ
વર્ષ 2012માં ગદર્ભની વસ્તી હતી 32 લાખ
ભારતમાં ગદર્ભના કતલ અને માંસ પર છે પ્રતિબંધ
આંધ્રપ્રદેશ પોલીસે રવિવારે મોડી રાત્રે બાપટલા શહેરમાં ચાર અલગ-અલગ જગ્યાએ છાપેમારી કરી હતી અને જ્યાંથી 400 કિલો જેટલું ગદર્ભનું માંસ મળી આવ્યું હતું. જે માંસ પોલીસે જપ્ત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 400 કિલો ગદર્ભનો માસ જપ્ત કરી સમગ્ર બાબતે સાત લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસને માંસ પકડવામાં મદદ કરનાર વન્યપ્રેમીઓ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં ગદર્ભને મારવાની પ્રથા વર્ષો જૂની છે. આરોપીઓ એક કિલો માંસ 600 રૂપિયામાં વેચતા હતા.
ભારતમાં ગદર્ભના માંસ પર પ્રતિબંધ છે
ભારતમાં ગદર્ભનો શિકોર કરવા અને તેના માંસ વેચવા પર પ્રતિબંધ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 429 હેઠળ ગદર્ભના શિકાર પર પાંચ વર્ષ સુધીની સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પ્રાણી ક્રૂરતા કાયદા હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. કાયદાની જોગવાઈની જરૂરીયાત ત્યારે ઉભી થઈ કે, સમયાધિન દેશમાં ગદર્ભની વસ્તીમાં તીવ્ર ઘટાડો થવા લાગ્યો. ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયન એક્ટ 2006 મુજબ ગદર્ભના માંસ ખાવું અપરાધ છે.
ભારતમાં ગદર્ભની સંખ્યમાં સતત ઘટાડો
વર્ષ 2019ની પશુગણના રિપોર્ટ પ્રમાણે ગદર્ભની સંખ્યા 12 લાખ છે, જે આંકડો વર્ષ 2012માં 32 લાખ હતો. જે પરથી અંદાજો મેળવી શકાય કે દર વર્ષ ગદર્ભની સંખ્યામાં મોટાપાયે ઘટાડો નોંધાઈ રહ્યો છે જેનું એક કારણ અવું પણ માનવામાં આવે છે કે, ચીનમાં ગદર્ભના ચામડાની માંગ વધુ છે.