રાજ્યમાં 400 કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે મંત્રી પરસોત્તમ સોલંકી સામે વોરંટ ઇશ્યુ કર્યાનો ફરિયાદીના વકીલે દાવો કર્યો છે. 15 દિવસમાં ગાંધીનગર કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન પાઠવાયું છે. ટેન્ડર વિના માછીમારી ઇજારો આપવાનો મંત્રી પર આક્ષેપ છે. પરસોત્તમ સોલંકી કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ ઇશ્યુ કરાયું છે.
મહત્વનું છે કે થોડા સમય અગાઉ ફિશરીઝ કૌભાંડમાં તેમની સામેના આક્ષેપો પર થઇ રહેલી કાર્યવાહી રદ કરવાની માંગને હાઇકોર્ટે ફગાવી હતી.
સમગ્ર કેસની હકિકત એવી છે કે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટ દ્વારા પરસોતમ સોલંકી સામે ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રિપોર્ટના આધારે તેમને અને દિલીપ સાંઘાણીને સમન્સ પાઠવ્યા હતા.