અમદાવાદમાં BU પરમિશન વગરની દુકાનો અને સેન્ટરો પર AMCની તવાઈ, રાણીપ નટરાજ શોપિંગ કોમ્પલેક્ષની 40 દુકાનો સીલ કરી દેવાઈ
અમદાવાદમાં AMCની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ
પૂર્વ નોટિસ વિના કોમ્પલેક્ષ સીલ કરાયાનો આક્ષેપ
અચાનક કાર્યવાહીથી વેપારીઓને પડશે આર્થિક ફટકો
અમદાવાદમાં AMCની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પૂર્વ નોટીસ વગર કોમ્પલેક્ષ સીલ કરાયાનો આક્ષેપ તંત્રના અધિકારીઓ પર લાગી રહ્યો છે. અચાનક કાર્યવાહીથી વેપારીઓને આર્થિક ફટકો પડશે. લોકડાઉન બાદ દુકાનો ખુલ્લી થતાની સાથે સીલ કરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. AMCની કામગીરી મુદ્દે વેપારીઓએ કહ્યું કે, BU પરમિશન લેવા માટે સમય આપવો જોઇએ. રાણીપ નટરાજ શોપિંગ કોમ્પલેક્ષની 40 દુકાનો સીલ કરી દેવાઈ છે. દુકાનો સીલ મારતા ફરી વેપાર-ધંધા અટક્યા છે.
સમધાન માટે વેપારીઓનું સૂચન
એક પછી એક AMCની કામગીરીથી હેરાન વેપારીઓએ કહ્યું કે, સરકારે આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવું જોઇએ. કોઇના હિતોની લડાઇમાં અમે પિસાઇ રહ્યાં છીએ. ઘર ચલાવવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. રાણીપ નટરાજ શોપિંગ કોમ્પલેક્ષમાં વકીલોની ઓફિસો પણ છે. જેના કારણે અગત્યના કેસના દસ્તાવેજો ઓફિસમાં હોવાથી વકીલો પણ મુંઝવણમાં મૂકાયા છે. કોર્ટ શરૂ થઇ રહી હોવાથી સુનાવણીમાં મુશ્કેલી પડી શકે છે.