કોરોના વાયરસને લઇને વધુ એક ખુલાસો થયો છે. જેમાં કોરોના વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની સાથે સાથે ભારત અને જર્મનીના એક વૈજ્ઞાનિકોની એક ટીમે સાર્વજનિક બિલ્ડિંગમાં 40 ટકા સુધી ભેજ રાખવાનું સૂચન કર્યું છે.
ભારત અને જર્મનીના એક વૈજ્ઞાનિકોની એક ટીમે રિસર્ચ કર્યું
રિસર્ચમાં સામે આવ્યું કે સંક્રમણ રોકવા માટે 40 ટકા સુધી ભેજ હોવો જોઇએ
હોસ્પિટલ, ઓફિસ, સાર્વજનિક પરિવહન સહિતની જગ્યાએ ભેજ હોવો જરૂરી છે
40થી 60 ટકા સુધીનો ભેજ વાયરસને મનુષ્યના શરીરમાં જતા રોકી દે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભેજ હોવાના કારણે કોરોના વાયરસ ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે. CSIRની નેશનલ ફિઝિકલ લેબની વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું કે કોરોના પર કાબૂ મેળવવા માટે જરૂરી છે કે જે જગ્યાએ વધુ લોકો હાજર હોય જેમ કે હોસ્પિટલ, ઓફિસ, સાર્વજનિક પરિવહન સહિતની જગ્યાએ ભેજ હોવો જરૂરી છે.
જેમાં 40થી 60 ટકા સુધીનો ભેજ વાયરસને મનુષ્યના શરીરમાં જતા રોકી દે છે. 40 ટકાથી ઓછો ભેજ હશે તો વાયરસના શરીરમાં પ્રવેશ કરવાની સંભાવના વધી જશે. જ્યારે શુષ્ક હવા હશે તો પણ સંક્રણમનું દર વધી જાય છે. જર્મનીના લેબનીજ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપોસ્ફેરિક રિસર્ચના શોધના સહ લેખક અજીત અહલાવતે જણાવ્યું કે આદ્રતા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આપણે બોલીએ છીએ તો 5 માઈક્રોમીટર વ્યાસ જેટલા નાના કણો હવામાં 9 મિનીટ માટે તરતા રહે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શિયાળામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે લોકો હીટરમાં વધુ સમય વિતાવશે આ સમયે ભેજનું સ્તર યથાવત રાખવું જરૂરી છે. કારણ કે વાયરસને ફેલાવાથી રોકી શકાય છે.