મ્યાંમારની સેનાના જવાનો પર વિદ્રોહીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જે હુમલામાં સેનાના 40 સૈનિકોના મોત થયા છે. જ્યારે 30 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મ્યાંમારની સેનાના 40 સૈનિકોના મોત
વિદ્રોહીઓએ હુમલો કરતા 40 લોકોના મોત
30 સૈનિકો હુમલામાં થયા ગંભીર રીતે ઘાયલ
મ્યાનમારની સેના પર વિદ્રોહીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો જેના કારણે દેશના 40 સૈનિકોના મોત થયા છે. સાથેજ 30 જેટલા સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાગરીક પ્રતિરોધ બળના લડાકુઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને મગવે વિસ્તારમાં આવેલ ગંગાવમાં થયો હોવાનું સામે આવ્યું છે.
14 બારુદી સુરંગોથી હુમલો કરવામાં આવ્યો
હુમાલાને અંજામ આપનાર વાય ડિફેન્સ ફોર્સે કહ્યું કે તેમના સદસ્યોએ એક સૈન્ય કાફલા પર હુમલો કર્યો હતો જેમા 50 વાહનો શામેલ હતા. મ્યાંમારની સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે 14 બારુદી સુરંગોની મદદથી સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.
30 સૈનિકો ગંભીર રીતે ઘાયલ
જે સમયે હુમલો થયો તે સમયે સેનાનો કાફલો ગંગાવ પાલે હાઈવે પરથી પસાર તઈ રહ્યો હતો. સંગઠન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં 40 સૈનિકોના મોત થયા છે. સાથેજ 30 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથેજ હથિયારબંધ કારને પણ ઘમું નુકશાન થયું છે. જોકે સેના દ્વારા હજુ આ મામલે કોઈ ચોક્કસ નિવેદન નથી આપવામાં આવ્યું.
3 મહિનામાં 1100 સૈનિકોના મોત
ઉલ્લેખનીય છે કેવિદ્રોહી સંગઠન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ગંગાવ-કાલે અને ગંગાવ-હટિલિન હાઈવે પર સેના દૂર રહે . અગાઉ પણ વિદ્રોહીઓ દ્વારા આ વિસ્તારમાં સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે છેલ્લા 3 મહિનામાં વિદ્રોહીઓ દ્વારા દેશના 1100 સૈનિકો માર્યા ગયા છે.