પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજરોજ કહ્યું છે કે તેમના દેશમાં 40 અલગ-અલગ આતંકી સંગઠન સક્રિય હતા. આ અંગે અગાઉની પાકિસ્તાન સરકારે અમેરિકાને આ હક્કીત જણાવી નહીં, વિશેષ રીતે છેલ્લા 15 વર્ષમાં આ અંગેની જાણકારી અપાઇ નથી.
પાકિસ્તાન પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યું હતું. ઇમરાન ખાને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વરિષ્ઠ અમેરિકાના નેતાઓ સાથે મુલાકાત કરવી ઘણી જરૂરી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આતંકવાદ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે.
ઈમરાન ખાને પુલવામા હુમલામાં પાકિસ્તાનની જમીનનો ઉપયોગ થયો હોવાનો સ્વીકાર કર્યો છે. ઈમરાન ખાને કહ્યું કે પુલવામા હુમલામાં જૈશ-એ-મહમ્મદનો હાથ હતો. તેના કારણે પાકિસ્તાન પર આતંકી હુમલાનો આરોપ લાગ્યો છે. ઈમરાન ખાને સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં 40 આતંકી સંગઠન ચાલી રહ્યા હતા.
જેની જાણકારી અગાઉની સરકારે અમેરિકાને આપી નથી. અમે અમેરિકા સાથે આતંકના વિરુદ્ધમાં લડાઈ લડી રહ્યા છે. જો કે ઇમરાન ખાને કહ્યું કે 9/11 આતંકી હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. પાકિસ્તાનમાં કોઈ તાલિબાની નથી. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે પાકિસ્તાનની ધરતીમાં આતંકી ઓસામા બિન લાદેન હાજર હતો તે અંગે પાકિસ્તાનને જાણ હતી.
આ અંગે ISIએ જ અમેરિકી ગુપ્તચર એજન્સી CIAને જાણકારી આપી હતી. જેની મદદથી ઓસામા બિન લાદેન સુધી અમેરિકા પહોંચી શક્યું હતું. જોકે આ પૂર્વે પાકિસ્તાનનું નિવેદન અલગ હતું. જેમાં જણાવ્યું હતું કે 2 મે 2011માં એબટાબાદમાં અમેરિકી આર્મીએ લાદેનને ઠાર માર્યો હતો ત્યાં સુધી પાકિસ્તાનને લાદેનના લોકેશનની કોઈ જાણકારી ન હતી.