કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતમાં કોરોનાથી મોતના આંકડાને લઈને સરકારથી વિપરીત દાવો કર્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો દાવો
કોરોનાને કારણે ભારતમાં થયા 40 લાખ લોકોના મોત
સરકારની લાપરવાહીને કારણે થયા મોત-રાહુલ
સરકારે સત્તાવાર રીતે કોરોનાથી મોતનો આંકડો 5 લાખ ગણાવ્યો છે
દેશ કોરોના મહામારીને લઈને આગળ વધી રહ્યો છે. પહેલી લહેરથી લઈને બીજી અને ત્રીજી લહેર સુધી કોરોનાએ દેશના કરોડો લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. તે જ સમયે, સરકારી આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મૃત્યુઆંક 5 લાખ 21 હજાર 751 પર પહોંચી ગયો છે.
मोदी जी ना सच बोलते हैं, ना बोलने देते हैं।
वो तो अब भी झूठ बोलते हैं कि oxygen shortage से कोई नहीं मरा!
मैंने पहले भी कहा था - कोविड में सरकार की लापरवाहियों से 5 लाख नहीं, 40 लाख भारतीयों की मौत हुई।
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા આ આંકડાઓને નકલી ગણાવ્યા છે. "5 લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયો મૃત્યુ પામ્યા છે.
ભારતમાં ઓક્સિજનથી અછતથી કોઈનુ મોત થયું નથી તે વાત ખોટી-રાહુલ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, મોદીજી સાચું બોલતા નથી, તેમને સાચું બોલવા દેતા નથી. તેઓ હજી પણ જુઠ્ઠું બોલે છે કે ઓક્સિજનની અછતથી કોઈનું મોત થયું નથી! "મેં અગાઉ પણ કહ્યું હતું - કોવિડમાં સરકારની બેદરકારીને કારણે 5 લાખ નહીં પણ 40 લાખ ભારતીયોના મોત થયા હતા. રાહુલ ગાંધીએ માત્ર એટલું જ નથી કહ્યું કે મોદીજીએ પોતાની ફરજ બજાવવી જોઈએ અને દરેક અસરગ્રસ્ત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.
દરેક પરિવારને 4-4 લાખનું વળતર આપે સરકાર
રાહુલ ગાંધીએ એવી પણ માગ કરી કે સરકારે દરેક પીડિત પરિવારને 4-4 લાખનું વળતર આપવું જોઈએ.
સરકારી ચોપડે ભારતમાં કોરોનાથી 5 લાખ મોત નોંધાયા છે
ઉલ્લેખનીય છે કે સરકારી ચોપડે ભારતમાં કોરોનાથી 5.21 લાખ મોત નોંધાયા છે સરકાર સંસદમાં પણ કહી ચૂકી છે કે દેશમાં ઓક્સિજનથી અછતને કારણે કોઈનું મોત થયું નથી. પરંતુ રાહુલે સરકારનો આ દાવો ફગાવ્યો છે.