આ વર્ષે ફરી એકવાર રાહુની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. હંમેશા ઉલ્ટી ચાલ ચાલતો રાહુ કૃતિકા નક્ષત્રથી નિકળીને ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તેની અસર કેટલાક લોકોના જીવન પર નકારાત્મક રહેશે.
આજથી આ 4 રાશિના લોકો થઈ જજો સાવધાન
રાહુના કારણે જીવન અને કરિયર પડી શકે ખરાબ અસર
કોઈ પણ કામ ખૂબ સમજી વિચારીને કરજો
રાહુએ 29 એપ્રિલે રાશિ ગોચર કર્યું હતું. રાહુએ 18 વર્ષ 7 મહિના બાદ એપ્રિલ 2022એ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને આજે 14 જૂને રાહુ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યો છે. તે આવતા લગભગ 8 મહિનાઓ સુધી આ નક્ષત્રમાં રહેશે. ભરણી નક્ષત્રનો સ્વામી શુક્ર છે અને તે રાહુનો મૈત્રી ગ્રહ છે.
આ ઉપરાંત રાહુ અને શુક્ર આ સમયે મેષ રાશિમાં પણ યુતિ બનાવી રહ્યા છે. જ્યોતિષ અનુસાર આમ તો રાહુ અને શુક્રનો આ સંયોગ શુભ છે. પરંતુ છતાં અમુક રાશિઓ પર તેની નકારાત્મક અસર પડશે.
આ રાશિઓ માટે અશુભ છે રાહુના ભરણી નક્ષત્રમાં પ્રવેસ
સિંહ
રાહુનું ભરણી નક્ષત્રમાં પ્રવેશ સિંહ રાશિ વાળા માટે શુભ ન કહી શકાય. આ જાતકોને કરિયરમાં સમસ્યાઓ આવી શકે છે. ટ્રાન્સફર થઈ શકે છે. અ ઈચ્છનીય યાત્રા પર જવું પડી શકે છે. પિતા સાથે વિવાદ અથવા મનમુટાવ થઈ શકે છે.
કન્યા
કન્યા રાશિના લોકો માટે રાહુનું નક્ષત્ર પરિવર્તન સકારાત્મક પરીણામ નહીં આપે. આ જાતકોની સાથે કોઈ દુર્ઘટનાની આશંકા છે. ધન હાની થઈ શકે છે. કરિયરમાં સમસ્યા આવી શકે છે. ઘરના લોકો સાથે સહયોગ નહીં મળે. વિવાદ થઈ શકે છે આ સમયે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂર છે.
મકર
રાહુની સ્થિતિમાં ફેરફર મકર રાશિના લોકોના જીવનમાં કોઈ સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં અલગ અલગ મોર્ચાઓ પર સંઘર્ષ કરવો પડી શકે છે. કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે. વર્કપ્લેસ પર પરેશાનીઓ સ્ટ્રેસ ઝેલવો પડી શકે છે.
મીન
મીન રાશિ વાળા લોકો માટે આર્થિક રીતે રાહુનુ નક્ષત્ર પરિવર્તન ઠીક છે પરંતુ ખાનગી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. પરિજનોની સાથે વિવાદ થઈ શકે છે. અચાનક ઉતાર-ચઢાવ ઝેલવો પડી શકે છે. પડકાર આવી શકે છે.