પોરબંદરની એક કેમિકલ કંપનીમાં આજે સવારે ઘટેલી એક દુર્ઘટનામાં 2 કામદારના મોત નિપજતા નિરમા ફેક્ટરી બંધ કરવાનો અપાયો આદેશ
પોરબંદરની કેમિકલ કંપનીમાં દુર્ઘટના
સેફટી ઈન્સ્પેકટરે બંધ કરાવી ફેક્ટરી
દોઢ મહિનામાં 4 કામદારોના નિપજ્યા મોત
પોરબંદરની એક કેમિકલ કંપનીમાં આજે સવારે ઘટેલી એક દુર્ઘટનામાં 2 કામદારના મોત નિપજતા નિરમા ફેક્ટરી બંધ કરવાનો આદેશ અપાયો છે. આજે સવારે બનેલી દુર્ઘટનામાં ચાર કામદારો પણ ઈજાગ્રસ્ત થયા હતા. બાદ,ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ફેક્ટરી બંધ કરવા હુકમ કરાયો છે.આ દરમિયાન સુરક્ષાના કારણોસર તમામ કામદારોને ફેક્ટરીની બહાર મોકલી દેવાયા હતા. છેલ્લા દોઢ મહિનામાં ઘટેલી આ ત્રીજી આકસ્મિક દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ ચાર કામદારોના મોત નીપજ્યા છે
દોઢ મહિનામાં ત્રીજી દુર્ઘટના
પોરબંદરની નિરમા કેમિકલ્સમાં આજે સવારે એક ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી જેમાં એક કામદારનું મોત નિપજ્યું હતું.અને ચાર જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. આ પરિણામે,ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ફેક્ટરી બંધ કરવા હુકમ કરાયો હતો. આવી દુર્ઘટના છેલ્લા દોઢ મહિનામાં ઘટેલી આ ત્રીજી દુર્ઘટના છે.અત્યાર સુધીમાં 4 કામદારોના મોત નિપજ્યા છે. નિરમા કેમીક્લ ફેકટરીમાં સેફટીનો અભાવ પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળતા સેફટી ઇન્સ્પેકટરે આ નિર્ણય લીધો છે