આપણાં શરીરમાં મીઠાનું વધુ પ્રમાણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ હાઈ બ્લડપ્રેશરનું કારણ પણ બની શકે છે. જેથી હાઈ બીપીના દર્દીઓએ સાવધાની રાખવી જરૂરી છે. એટલું જ નહીં વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી કિડનીના રોગો પણ થાય છે અને કિડની ખરાબ થઈ જાય છે. કેટલીક રિસર્ચ પ્રમાણે વધુ મીઠું ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ પણ નબળી થાય છે.
જો તમે પણ વધુ પ્રમાણમાં મીઠું ખાઓ છો તો ચેતી જાઓ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફર ઈન્ડિયાએ (FSSAI)એ ભોજનમાં મીઠાનું પ્રમાણ કંટ્રોલ કરવાના બેસ્ટ ઉપાય જણાવ્યા છે. જે હાઈ બીપી અને કિડનીની બીમારીથી બચવા માટે બહુ જ કારગર છે.
ભોજનમાં મીઠાનું વધુ ઉપયોગ કરવા કરતાં સીઝન પ્રમાણે મળતા અન્ય વિકલ્પો શોધો. તમે મીઠાની જગ્યાએ લેમન પાઉડર, આમચૂર પાઉડર, અજમો, કાળા મરી, ઓરેગાનોના પાનનો ઉપયોગ કરી શકો છો.
FSSAIએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, ભોજન બનાવતી વખતે વચ્ચે મીઠું નાખવા કરતા એકદમ છેલ્લે મીઠું નાખો, આ રીતે તમે ભોજન પકાવતી વખતે ઓછું મીઠું વાપરશો.
ઘણાં લોકો લંચ-ડિનરમાં પાપડ, અથાણું, સોસ, ચટણી અથવા મીઠું સાથે રાખવાનું ભૂલતા નથી. આ બધાંમાં મીઠું તેજ પ્રમાણમાં હોય છે. જેનાથી સ્વાદમાં તો વધારો થાય છે પરંતુ બ્લડપ્રેશર માટે તે ખતરનાક છે. જેથી આ વસ્તુઓનું બને એટલું ઓછું સેવન કરો.
ઘણાં લોકો શાક સિવાય પણ બધાંમાં ઉપરથી મીઠું નાખીને ખાતા હોય છે. ભારત, ડોસા, પૂરી અથવા સલાડને મીઠું નાખ્યા વિના પર ખાઈ શકાય છે. આ બધાંમાં મીઠું નાખવાની તેની નેચરલ મીઠાસ ઓછી થઈ જાય છે.