જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં જિલ્લામાં આજરોજ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. જેમાં ભારતીય સેનાને સફળતા મળી હતી. ભારતીય સેનાએ 4 આતંકીઓ ઠાર માર્યા હતા.
જમ્મૂ-કશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથે અથડામણ
સેનાના જવાનોએ 4 આતંકવાદીને માર્યા ઠાર
સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
ભારતીય સેનાને મંગળવાર રાતે સુરક્ષાદળોને સૂચના મળી હતી કે આ વિસ્તારના મેલહૂરા ગામમાં આતંકી છૂપાયા છે. આ સૂચના મળતા 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF અને SOG ની ટીમે આ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સેના દ્વારા કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને જોઇ એક મકાનમાં છૂપાયેલા આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જો કે સૌ પ્રથમ સેનાએ આતંકીઓ સમર્પણ અંગે જણાવ્યું હતું. તેમ છતાં આતંકીઓ પણ ફાયરિંગ શરૂ રહેતા સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી.
પોલીસના એક અધિકારીના જણાવ્યાં અનુસાર સુરક્ષાબળોએ શોપિયાના મેલહૂરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લઇને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
આ વિસ્તારમાં છુપાયેલા આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી.