દક્ષિણ કાશ્મીરમાં સેનાએ રવિવારે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા. સૌથી પહેલા સેનાએ શોપિયાં જિલ્લામાં એક આતંકવાદીને ઠાર માર્યા. ત્યારબાદ શ્રીનગરના જાદિબલમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયેલ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા.
શ્રીનગર-શોપિયાંમાં 4 ઠાર
શ્રીનગરના જાદિબલમાં છૂપાયા હતા ત્રણ આતંકવાદી
સેના-પોલીસે સંયુક્ત રીતે ચલાવ્યું ઑપરેશન
સૌથી પહેલા, કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાના લકીરપુર વિસ્તારમાં સેનાના જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેની પાસેથી AK-47 રાઇફલ સહિત અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
ત્યારે, શ્રીનગરમાં સંયુક્ત સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગેયલા ત્રણ આતંકવાદી રમઝાન દરમિયાન 20 મેના રોજ શ્રીનગરમાં પાંડવ ચોકની પાસે બે બીએસએફ જવાનોની હત્યામાં સામેલ હતા.
જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં સ્થાનિક પોલીસ અને સેનાએ આતંકવાદીઓની શોધખોળમાં રેડ કરી. આ અભિયાન શ્રીનગરના જાદિબલ વિસ્તારમાં ચાલ્યું. સેનાના ગુપ્તચરોને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ છુપાયા છે. હાલની માહિતી અનુસાર, સેનાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે.