દાહોદના ચોસલા ગામ નજીક વોકળામાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓના મોત થતાં થી અરેરાટી ફેલાઈ છે.કેદારનાથ મંદિર નજીક સ્વનિર્ભર શાળાના 4 વિદ્યાર્થીઓ ડૂબી જવાના સમાચાર મળતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.
સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ શોધી કાઢવા જહેમત આદરી હતી. તરવૈયાઓએ ચારેય વિદ્યાર્થઓના મૃતદેહ બહાર કાઢયા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ આદરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉનાળો શરૂ થતા જ નદી તળાવ નહેર શોધીને લોકો લાંબો સમય સુધી સ્નાન કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ આ શોખ ક્યારેક મોટી આફતરૂપ બની છે જાય છે ત્યારે આજરોજ દાહોદની એક શાળામાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીમિત્રો વોકળામાં નહાવા પડ્યા હતા જેમાં ડૂબી જવાથી ચારેયના મોત નિપજ્યા હતા.આ ઘટનાને પગલે પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.