દમણના બારીયા વાડ પાસે જમપોર બીચના કાંઠે 5 સગીરા દરિયામાં ન્હાવા ગઇ હતી જેમાંથી 4ના ડૂબી જતાં મોત થયા છે.
દમણના દરિયામાં ડૂબી જતાં 4 સગીરાના મોત
5 સગીરા દરિયામાં ન્હાવા ગઇ હતી
દમણના બારીયા વાડ પાસે જમપોર બીચનો બનાવ
સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે એક ગોઝારી ઘટના બની છે. જેમાં પરિવાર સાથે દમણ ફરવા આવેલ ચાર સગીરાઓના ડૂબી જતા કરૂણ મોત નિપજ્યા છે. એકબીજાના સગાસબંધી પરિવારોની એક સાથે 4 દિકરીઓ ના મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે.દમણના દરિયા કિનારે બનેલી આ મોટી ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા.મોતને ભેટેલ દિકરીઓ માંથી એક પરિવાર યુપીના લખનૌથી ફરવા આવ્યો હતો.
કઈ રીતે બન્યો હતો બનાવ
બનાવની વિગત મુજબ દમણના જાણીતા જમપોર દરિયાકિનારા પર વાપી દમણ અને યુપી થી ફરવા આવેલા એક પરિવાર પોતાના સગા-સંબંધીઓ સાથે ફરવા આવ્યા હતા.. દરિયાકિનારા પર સગા સંબંધી પરિવારો બેસી અને જમ્યા હતા.. ત્યારબાદ પરિવારની સગીર દીકરીઓ દરિયામાં નહાવા પડી હતી.નહાતા નહાતા સગીરાઓ દરિયામાં દૂર પહોંચી ગઈ હતી..જોકે દરિયા માં કરંટ બધું હોવાથી સગીરાઓ ડૂબવા લાગી હતી.જે દ્રષ્ય જોતા કિનારે બેસેલા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી.જોકે નજીકમાં અન્ય કોઈ પર્યટકો કે સ્થાનિક લોકો પણ નહીં હોવાથી શરૂઆતના આ પરિવારના સભ્યોએ ડૂબી રહેલી દીકરીઓને બચાવવા પ્રયાસ કર્યા હતા.પરિવારના એક સભ્યને હિંમત કરી ડૂબી રહેલી દીકરીઓ સુધી પહોંચી અને મહા મહેનતે એક પછી એક તમામ 5 ને બહાર કાઢી ..અને તાત્કાલિક સારવાર માટે દમણમાં મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ ચાર સગીર દીકરીઓને મૃત જાહેર કરી હતી.. જયારે એકની હાલત ગંભીર જણાતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
કોના કોના થયા છે મૃત્યુ?
આમ આ ઘટનામાં ફિજા સિદ્દીકી,માહેરા કુરેશી, સાબિયા કિરેશી અને ઉત્તર પ્રદેશ થી ફરવા આવેલ પરિવારની જૈનાબ ઉર્ફે જેબુ પરવીન ઇસ્લામ શેખ નામની 4 સગીરાઓનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
પરિવાર માતમમાં ગરકાવ
જ્યારે તાહીરા નાઝ નામની સગીરા હજુ સારવાર હેઠળ છે.એક જ સગા સંબંધી પરિવારની એક સાથે 4 સગી દીકરીઓના ડૂબી જવાથી મોતને ભેટતાં ચકચાર મચી ગઇ હતી.જેની જાણ થતાં જ તેમના સગાસંબંધીઓ તાત્કાલિક દમણ પહોંચ્યા હતા.જ્યાં પરિવારજનોના આક્રંદ ને કારણે સમગ્ર વાતાવરણ ગમગીન થયું હતું.ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસના અને પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા.અને તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.જોકે આ ઘટનામાં ભોગ બનેલ પરિવારો દમણના દરિયા કિનારે કોઈપણ જાતની બચાવ માટેની સુવિધાઓ નહીં હોવાથી સમયસર મદદ નહીં મળવાથી તેમની આ દીકરીઓના મોત થયું હોવાનું જણાવી રહ્યા છે.ભોગ બનેલ પરિવારો માં એક પરિવાર યુપી ના લખનૌ થી આવેલ શેખ પરિવાર પોતાના સ્વજનને ત્યાં આવ્યું હતું.અને ત્યાંથી આ પરિવારો સાથે દમણના દરિયા કિનારે ફરવા આવ્યું હતું.જ્યાં આ પરિવારની જેનાબ શેખ નામની એક દીકરી પણ દરિયામાં ન્હાવા પડતા મોત નિપજ્યું હતું.