સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલી સબજેલમાંથી 4 કેદીઓ નાસી છૂટવાની ઘટના સામે આવી છે. જેને લઇનો ફરી એક વાર તંત્ર સામે સવાલ ઉભા થયા છે. જેમાં કેદીઓ જેલની દિવાલ કૂદીને નાસી છૂટ્યા હોવાની આશંકા જોવા મળી છે.
સુરેન્દ્રનગરના લિંબડી સબજેલમાંથી 4 કેદીઓ દીવાલ કૂદીને નાસી ગયા છે. આમ એકસાથે 4 કેદીઓ નાસી છૂટતા તંત્રમાં દોડધામ મચી ગયેલી જોવા મળી છે.
સબજેલમાંથી કેદીઓ નાસી છૂટવાની ઘટના બનતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગયેલી જોવા મળી છે. ચારેય કેદીઓને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થઇ ગયેલુ જોવા મળી રહ્યું છે.
જો કે કેદીઓ ના નાસી છૂટવા અંગેની ઘટનાની જાણ થતાં DYSP, PI, PSI નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યારે ફરાર ચારેય કેદીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરવામાં આવી છે.