ઉત્તરાયણના દિવસે જુનાગઢના માળીયાહાટીનાથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ઉત્તરાયણના દિવસેજ માળીયાહાટીનાના ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ હજી અન્ય એક વ્યક્તિ લાપતા હોઇ તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જુનાગઢના માળીયાહાટીનામાં ઉત્તરાયણની મજા વચ્ચે એક દુ:ખદ ઘટના બની છે. વાત જાણે એમ છે કે, ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યા ચકચાર મચી ગઈ છે. ભાખરવડ ડેમમાં 4 વ્યક્તિ ડૂબ્યાં હોવાની વાત વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ સાથે સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
3 મૃતદેહ મળ્યા
માળીયાહાટીનાના ભાખરવડ ડેમમાં ચાર વ્યક્તિ ડૂબી જવાની ઘટનામાં અત્યાર સુધી ત્રણ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જોકે અન્ય એક વ્યક્તિ લાપતા હપોઈ તરવૈયાઓની ટીમ સવાર શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસ સહીતનાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ તરફ હાલમાં મળી આવેલા ત્રણેય મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.