દેવગઢ બારિયાના ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. અહીં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં જમણવાર બાદ લોકોની તબિયત લથડી હતી. જેમાંથી 4 લોકોના મોત થયા છે.
ભૂલવણ ગામે ધાર્મિક પ્રસંગ સમયે ઘટી ઘટના
ગામના જાહેર ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ બની ઘટના
4 લોકોના મૃત્યુ, 15 લોકોની હાલત ગંભીર
દાહોદના દેવગઢ બારિયાના ભુલવણ ગામમાં મોટી ઘટના બની છે. જેમાં ધાર્મિક પ્રસંગે જમણવાર બાદ 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે. તમામ ગંભીર લોકોને સારવાર અર્થે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં 10 લોકોની હાલત વધુ ગંભીર છે.
હાલ આ ઘટના ફૂડ પોઇઝનિંગના કારણે બની હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ભુલવણ ગામે ઘટના બનતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ છે. ભોજનમાં શું થયું હશે, રસોઈમાં કોઈ ગડબડ થઇ છે કે શું છે તે તપાસનો વિષય છે. ત્યારે હાલ પોલીસ તપાસનો દોર આગળ ચાલી રહ્યો છે.