બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં 24 કલાકમાં 4 આપઘાતની ઘટના, ડૉકટરે કહ્યું પ્રેમ, વ્યસન સહિત આ કારણો જવાબદાર
Last Updated: 07:28 PM, 21 May 2024
નવસારી જીલ્લામાં આપઘાતનાં કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT
જેમાં ખેર ગામે રહેતા 32 વર્ષીય રાકેશ ગરાસિયાએ અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરી બાંધી મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે સરીગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. રાકેશ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તેમજ તે પરિવારમાં સૌથી નાનો હતો. આત્મહત્યા કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
ADVERTISEMENT
જ્યારે બીજા એક બનાવમાં નવસારીનાં ધારાગીરી વિસ્તારમાં પરેશભાઈ રાઠોડ (ઉ.વર્ષ.33) ઘરે પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બાબતે ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા કેસની વાત કરીએ તો મહુવર મરોલી બજારમાં રહેત નાથુભાઈ પટેલ (ઉ.વર્ષ.89) એ અગમ્ય કારણોસર એસીડની બોટલ ગટગટાવી ગયા હતા. જે બાબતે પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ 108 મારફત તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર બાબતે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ચોથા કેસમાં નવસારી શહેરમાં રહેતા દર્શિત પટેલ (ઉ.વર્ષ.25) પોતાનાં ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીંદગી ટૂંકાવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા યુવક દ્વારા એક તરફી પ્રેમમાં મોત વ્હાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ સમગ્ર બાબતે સિવિલ હોસ્ટિલનાં મનોવૈજ્ઞાનિક ર્ડાક્ટરે આત્મહત્યાનાં કારણો વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, યુવાનોમાં આત્મહત્યા માટે દેખાદેખી, વધારે પડતી જવાબદારીનો અહેસાસ જેવા કારણો જવાબદાર છે. તેમજ પોતાની જાત પાસેથી વધારે અપેક્ષા, વ્યસન જેવા કારણો પણ આત્મહત્યા માટે જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.