કહેવાય છે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિને વડોદરા જિલ્લાના ધર્મિષ્ઠા બેને સાર્થક કરી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વલ્વા ગામના ધર્મિષ્ઠા બેને પોતાની આગવી સૂઝ અને પુરષાર્થના બળે શૂન્યમાંથી સર્જન કરીને એક આગવો દાખલો બેસાડયો છે. ધોરણ-4 પાસ આ મહિલાએ પશુપાલનના વ્યવસાય દ્વારા મહીને લાખો રૂપિયાની આવક કરી ગામમાં આગવી ઓળખ ઉભી કરી છે.
એક બાદ એક એમ આજે અઢાર ગાયો વસાવીને કંઈક કર્યાનો આનંદ માણે ધર્મિષ્ઠા બેન. જે આમ તો માત્ર ધોરણ-4 પાસ પરંતુ તેમની આવક કંઈ કોઈ ઓફિસરથી ઓછી નથી પરંતુ આ મંઝિલ સુધી પહોંચવા તેમણે ઘણી મઝલ કાપી છે. શૂન્યમાંથી સર્જન કોને કહેવાય તે કોઈ આ મહિલાને પૂછો. આજથી થોડા વર્ષો પહેલા આ મહિલા અને તેમના કુંટુંબ પાસે જીવન નિર્વાહ ચલાવવા પર્યાપ્ત સાધન ન હતા. આજથી આઠ વર્ષ પૂર્વે સવિતાબેને ફિનકેર કંપનીમાંથી મહિલા લોન લીધી હતી.
રબાદ તેઓને લાગ્યું કે આ લૉનના નાણાં વેડફી નખાય નહીં. તેમણે લોનના નાણાંથી પશુપાલનની શરૂઆત કરી. પ્રથમ એક ગાય વસાવી. જેના દૂધના વેચાણમાંથી આવક થતાં લોન તો ભરપાઈ કરી દીધી સાથે પોતાના સાહસનો પરિચય આપતા એક બાદ એક નવી નવી લોન લઈને અનેક ગાયો વસાવી છે. પશુપાલનનો વ્યવસાય આજે તેમનું જાણે જીવનકર્મ બની ગયું છે. તેઓ પશુપાલન વ્યસાયમાં એવા તો ઓતપ્રોત થઈ ગયા છે કે તેમને આ વ્યવસાય નહીં પરંતુ જાણે ગૌસેવા હોય તેવું લાગી રહ્યુ છે. પોતાના પરિવારને એક આગવી દિશા મળી છે. ધર્મિષ્ઠા બેન કઠોર પરિશ્રમ અને પોતાની આગવી સૂઝબૂઝ અને ફિનકેર કંપનીના સહયોગથી આજે 18 ગાયો રાખી મહીને રૂ. 1 લાખ થી વધુ કમાણી કરે છે.
પશુપાલન વ્યવસાય એમ સહેલો નથી. તેમાં પશુને માણસની જેમ રાખવા પડે છે પરંતુ તે માટે માણસે પ્રાણી સાથે ઓતપ્રોત થઈ જવું પડે છે. ધર્મિષ્ઠા બેને પોતાની શ્રમ શક્તિતના સહારે આ કરી બતાવ્યું છે. તબેલામાં પ્રાણીઓની કાળજી લેવાની વાત હોય કે ગાયોનું સમયાંતરે મડિકલ ચેકઅપ કરાવવાનું હોય કે ગાય માટે અદ્યતન મશીનથી ઘાસનું કટિંગ કરવાનું હોય કે છાણ-વાછિદું કરી વજનદાર ટોપલા ઉપાડવાના હોય. ધર્મિષ્ઠા બેન આ કાર્ય ઉત્સાહભેર કરે છે. તેમણે એક નારી શક્તિ ઈચ્છે તો કેવી રીતે સ્વબળે આગળ વધી શકે છે તેનો પરિચય આપી દીધો છે. તેમના આ પરુષાર્થ અને સમર્પણને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ધર્મિષ્ઠાબેનને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 10 હજારનો એવોર્ડ પણ મળી ચૂકયો છે. જોકે તેમની આ સિદ્ધિ પાછળ તેમના પતિનો પણ એટલો જ સહકાર છે.
હાલ ફાઇનાન્સ કંપનીએ પણ આ મહિલાનું કામ જોઈ અને લોનના હપતાના રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ ભરણાના આધારે તેમની ક્રેડિટમાં પણ વધારો કર્યો છે એટલું જ નહીં તેમને જેટલી પણ લોન જોઈતી હોય તે આપવા માટે બેંકે તૈયારી દર્શાવી છે. ફાઇનાન્સ કંપનીએ પણ ધર્મિષ્ઠા બેનના કામની પ્રશંસા કરી છે. કારણ કે ખૂબ ઓછા લોકો હોય છે. જે લોનના નાણાંનો સદઉપયોગ કરતા હોય છે. લગન અને સાચી દિશામાં મહેનત હોય તો ગમે તેવી સિદ્ધિના સોપાન સર કરી શકાય છે. આ વાત ધર્મિષ્ઠા બેને સાચી ઠરાવી છે. તેઓ કંઈક કરવા માગતી અનેક મહિલા માટે પ્રેરણના સ્રોત પણ બન્યા છે.