અમદાવાદમાં મનાવતા મરી પડી હોય તેવો એક નહીં પરંતુ 4-4 કિસ્સા સામે આવ્યા છે. ગતરોજ શહેરમાં 4 નવજાત શિશુ મળી આવ્યા હતા.
અમદાવાદમાં મનાવતા મરી પડી
ગતરોજ શહેરમાં 4 નવજાત શિશુ મળી આવ્યા
એલિસબ્રિજ, શાહીબાગ,વેજલપુરમાં મળી આવ્યા શિશુ
એક તરફ બાળકો માટે IVF અને સરોગસીનો બિઝનેસ વધુને વધુ ફુલી ફાલી રહ્યો છે ત્યારે બીજી તરફ નવજાત બાળકીઓને આમ ત્યજી દેવી કેટલી વિરૂદ્ધ માનસિકતા છે નહીં? અમદાવામાં કચરાપેટીમાંથી કિલકારીઓનો અવાજ સમાજને ખળભળાવી શકશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે પણ શહેરમાં એક જ દિવસમાં 4 બાળકીઓ મળી આવી છે જેમાં એક મૃત અને અન્ય 3 જીવતી મળી આવતા પોલીસ જ નહીં પરંતુ શહેરીજનોની આંખો પણ ભીની છે.
ક્યાંથી મળી આવ્યા નવજાત બાળકો?
એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુરમાંથી કરૂણ હાલતમાં બાળકો મળી આવ્યા છે જ્યારે એલિસબ્રિજ કોચરબ ગામ પાસે મૃત બાળકી મળી આવતા નજરે જોનારની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
ક્યાંથી મળ્યા બાળકો?
કયા એવા માતા-પિતા કે અમાનવિય લોકો હશે જેમણે આ બાળકોનો જન્મતાવેંત જ ત્યાગ કર્યો હશે? એક બાળકી કચરા પેટીમાંથી મળી આવી છે. શાહીબાગમાં પણ કચરા પેટીમાં જીવિત બાળકી મળી આવી ત્યારે પેલી ઉક્તિ સાર્થક થઈ હોય તેમ લાગે કે રામ રાખે તેને કોણ ચાખે?
બે બાળકીઓ જીવતી મળી આવી
વેજલપુરમા બે બાળકીઓ જીવત મળી આવી છે. જેમાંથી એક બાળકી કાર નીચે અને અન્ય એક બાળકી રોડ પર મળી આવતા સ્થાનિકો પણ હક્કા બક્કા રહી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા તમામ કિસ્સાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે.