દિલ્હીમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટનો કહેર વધતો જઈ રહ્યો છે.દિલ્હીમાં ગુરુવારે ઓમિક્રોનના 4 નવા દર્દીઓ મળી આવ્યા છે.અત્યાર સુધી દિલ્હીમાં ઓમિક્રોન વેરિયન્ટના 10 કેસો નોંધાયા છે.
ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં આવ્યો હતો.
દિલ્હીની LNJP હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે
દિલ્હીમાં સંક્રમણ વધતાં પ્રતિબંધો લગાવાયા
ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં આવ્યો હતો.
ત્યારથી અત્યાર સુધીમાં ઓમિક્રોન દેશના 11 રાજ્યો ફેલાઈ ચુક્યો છે. દેશભરમાં ઓમિક્રોનના લગભગ 78 કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ 32 કેસો સાથે પ્રથમ નંબરે, રાજસ્થાન 17 કેસો સાથે બીજા નંબરે જ્યારે 10 કેસો સાથે ત્રીજા નંબર દિલ્હીનો આવે છે
દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનને જણાવ્યું છે કે, ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 10 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી એક દર્દીએ ઓમિક્રોનને માત આપી ઘરે પરત ફર્યો છે. દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં હજુ પણ 9 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે, કોઈ દર્દીને હજી સુધી ગંભીર લક્ષણો જણાયા નથી. તેમણે જણાવ્યું હતું કે, એલએનજેપીમાં હાલના સમયમાં 40 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 38 પોઝિટીવ છે. 2 શંકાસ્પદ છે. આ એ દર્દીઓ છે કે, જેમાં ઓમિક્રોનના સંક્રમણની આશંકા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એલએનજેપીના ઓમિક્રોન વોર્ડમાં બેડની સંખ્યા 40થી વધારીને 100 કરી દેવામાં આવી છે.
સ્વાસ્થયમંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, એરપોર્ટથી આવવા વાળા મોટા ભાગના લોકો પોઝિટીવ મળી રહ્યાં છે. દિલ્હીમાં સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યાં છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટને નવા વર્ષમાં ક્રિસમસને ધ્યાનમાં લઈને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધો લગાડવામાં આવ્યાં છે. જે બાદ બાર, રેસ્ટોરન્ટ અને સાંસ્કૃતિક સમારોહમાં 50 ટકા લોકોને બેસવાની પરમીશન આપવામાં આવી હતી.
ડેલ્ટા વેરિયન્ટ કરતાં 70 ગણી ઝડપથી ફેલાય છે કોરોનાનો નવો વેરિયન્ટ
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વિશ્વભરના વૈજ્ઞાનિકોને ચિંતિત કર્યા છે. એક નવા અભ્યાસમાં આ વેરિયન્ચ વિશે ઘણી માહિતી જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીના ઓફ હોંગકોંગના એક નવા અભ્યાસ મુજબ ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં લગભગ 70 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. જો કે, રાહતની વાત એ છે કે, તે અન્ય વેરિયન્ટની તુલનામાં ઓછો ગંભીર છે