ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચરોતર એપી સેન્ટર બનશે તેવા VTVએ અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા તે સાચા પડી રહ્યા હોય તેવુ સ્પ્ષ્ટપણે લાગી રહ્યું છે.
VTVનો અહેવાલ યથાર્થ
આણંદ જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી
આણંદમાં એકસાથે 4 ઓમિક્રોનના કેસ નોંધાયા
UK અને તાન્ઝાનિયાથી આવેલા 4 લોકોને ઓમિક્રોન
ગઈકાલે જ VTV દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે, ચરોતર ઓમિક્રોનનું એપી સેન્ટર બની શકે છે કારણ કે, એક માસમાં વિદેશથી 544 જેટલા બિન નિવાસીય ભારતીય આવ્યા છે. આ વિદેશી પ્રવાસીઓમાંથી હાઇરિસ્ક દેશોમાંથી 244 અને અન્ય દેશમાંથી 300 લોકો આવ્યા. ત્યારે આ અહેવાલ સાર્થક થઈ રહ્યો છે.
આણંદમાં એક સામટા 4 કેસ નોંધાતા મચ્યો ખળભળાટ
આણંદમાં એકસાથે આજે 4 ઓમિક્રોનના કેસ નોંધાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. નોંધનીય છે કે, આ લોકો UK અને તાન્ઝાનિયાથી આવ્યા હતા જેમનો ઓમિક્રોન રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો છે. ત્રણ લોકોને કરમસદ અને એકને સારવાર માટે અમદાવાદ ખસેડાયા.
ખેડામાં ઓમીક્રોનના વધુ 3 કેસ નોંધાયા
ખેડા જિલ્લામાં નવા 3 કેસ સાથે અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાઇ ચૂક્યા છે. ગઈકાલે નડિયાદ શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. પીપલગ ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોને ઓમીક્રોન પોઝીટીવ આવ્યા છે. યુકેથી આવેલા પરિવારના સભ્યો ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળી આવ્યા છે.
જાણો કયા જિલ્લામાં કેટલા ઓમિક્રોનના કેસ
અમદાવાદ-9
જામનગર- 3
સુરત-2
મહેસાણા-3
વડોદરા-17
આણંદ-8
રાજકોટ-2
ગાંધીનગર-1
ખેડા-6
VTVમાં પ્રસિદ્ધ થયો હતો અહેવાલ
ગુજરાતમાં ચિંતાજનક રીતે વધતા કોરોના સંક્રમણ કેસ સાથે અચાનક વધેલા ઓમિક્રોન કેસથી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ ચિંતિત બન્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં એક માસમાં વિદેશથી 544 જેટલા બિન નિવાસીય ભારતીય આવ્યા છે. આ વિદેશી પ્રવાસીઓમાંથી હાઇરિસ્ક દેશોમાંથી 244 અને અન્ય દેશમાંથી 300 લોકો આવ્યા આ પંથકમાં આવ્યા છે. હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા બે પ્રવાસીઓને કોરોના થયાનું સામે આવ્યું છે. આ બંને દર્દીઓના જીનોમ સિકવેન્સ માટે સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. તો 253થી વધુ વિદેશમાંથી આવેલાને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તમામના 8 દિવસ બાદ RTPCR ટેસ્ટ કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રે તમામને કોરોના ગાઈડ લાઇન પાલન કરવા અપીલ કરી છે.
રાજકોટમાં પણ આજે નોંધાયો એક કેસ
સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોધાતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે.
ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બનનારની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે.
21 વર્ષીય યુવતીનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો. 21 તારીખે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રિપોર્ટ આવતા આઇસોલેટ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડી હતી. ઓમિક્રોન રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો. રાજકોટમાં કુલ 2 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા. અગાઉ આર.કે. યુનિવર્સિટીના તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બન્ને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજરાતમાં શુક્રવારે નોંધાયેલા કોરોનાના કેસની વિગત
સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 98 કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.કોરોનાને માત આપીને 69 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા 694 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાને કારણે અમદાવાદ, જામનગર અને પોરબંદર જિલ્લા એકએક એટલે કે રાજ્યમાં વધુ 3 દર્દીઓનું મૃત્યુ થયુ છે.રાજ્યભરમાં અત્યાર સુધી 10,111 મૃત્યુ તો 8,18,198 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે