કોરોનાની બીજી લહેર ડાયાબિટિસના દર્દીઓ માટે વધારે મુશ્કેલ રહે છે. જો તમને પણ આ 4માંથી કોઈ પણ લક્ષણો દેખાય તો તમારે તરત જ કોરોના ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે.
આ છે કોરોનાના 4 નવા લક્ષણો
દરેક ડાયાબિટિસના દર્દીઓએ જાણવા છે જરૂરી
લક્ષણો દેખાય તો તરત જ કરાવી લો ટેસ્ટ
કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. સ્વસ્થ યુવા પણ મ્યુટેંટ વાયરસ સ્ટ્રેનથી પ્રભાવિત છે. ડાયાબિટિસના રોગી સંક્રમણની ગંભીરતા અને મૃત્યુદરના હાઈ રિસ્કમાં છે. આ સમયે કોરોનાના લક્ષણો બદલાઈ રહ્યા છે. જેનાથી પ્રારંભિક સ્થિતિમાં તેની ઓળખ મુશ્કેલ બને છે.
ડાયાબિટિસના દર્દીઓને શા માટે રહે છે હાઈ રિસ્ક
ડાયાબિટિસ એક ગંભીર અને જીવલેણ બીમારી છે તે ત્યારે થાય છે જ્યારે તમારું બ્લડ શુગર, જેને બ્લડ ગ્લુકોઝના રૂપમાં ઓળખવામાં આવે છે તે વધે છે. શુગરના લેવલને બનાવી રાખવા માટે ઇન્સ્યુલિનને ઈન્જેક્ટ કરવાની જરૂર રહે છે જે રોગીને ઈમ્યુનિટી દબાવે છે અને આ કારણ છે કે ડાયાબિટિસના એક દર્દીને પણ કોરોનાનું ઈન્ફેક્શન હાઈ રિસ્કમાં ફેરવે છે.દર્દીને માટે વાયરસથી લડવાનું મુશ્કેલ બને છે. વિશેષજ્ઞો કહે છે કે ડાયાબિટિસના રોગીને હોસ્પિટલમાં દાખલ થવાનો ખતોર રહે છે અને સાથે તેઓ underlying vascular issues થી પણ પીડાય છે. હ્રદય સંબંધી ભૂલ અને ફેફસાની બીમારી જેવા મુદ્દાને જન્મ આપે છે.
ડાયાબિટિસના રોગીમાં કોરોનાના 4 લક્ષણો જોવા મળી રહ્યા છે.
સ્કીન પર ચકામા અને પહની આંગળીમાં સોજા
બીજી લહેરની સાથે કોરોનાના લક્ષણોમાં પણ ફેરફાર આવ્યા છે. જેમકે સ્કીનમાં ઈન્ફેક્શન, લાલ ધબ્બા, સોજા, ચાંદા પડવા, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે.
નિમોનિયા
વધારે પડતા સોજા રહેવા અને સાથે અનિયંત્રિત બ્લડ ગ્લુકોઝના કારણે ડાયાબિટિસથી પીડાતા રોગીમાં નિમોનિયાનો ખતરો વધે છે. આ લક્ષણ વાયરસના શરીરમાં પ્રવેશ કરવાનું સરળ બનાવે છે અને નુકસાન કરે છે. બંને પ્રકારના ડાયાબિટિસના રોગીમાં ટાઈપ 1 અને ટાઈપ 2 માટે આ જોખમ કારક છે.
ઓક્સીજન સેચ્યુરેશન લેવલમાં ઘટાડો
આ કોરોનાથી પીડિત ડાયાબિટિસના રોગીને માટે સૌથી મોટા કોમ્પલીકેશનમાંનું એક છે. રોગીને ઓક્સીજનની ખામીના લક્ષણો જેવા કે શ્વાસની તકલીફ, પલ્મોનરી પ્રોબ્લેમ્સ, શ્વાસ ફૂલવો અને છાતીમાં દર્દથી પીડિત હોવાથી હાઈ રિસ્ક રહે છે. એટલું નહીં હાઈપોક્સિયા પણ આ રોગીમાં જોવા મળતા સામાન્ય લક્ષણોમાંનું એક છે.
બ્લેક ફંગસ ઈન્ફેક્શન કે મ્યૂકોરમાઈકોસિસ
કોરોનાના દર્દીમાં હવે એક નવી બીમારી જોવા મળી રહી છે. એક્સપર્ટના આધારે આ બીમારી કોરોના દર્દીને સ્ટીરોઈડ આપવાથી થાય છે. તેના કારણે શરીરમાં બ્લેક ફંગસ ફેલાય છે. આ રોગીને જોખમ વધારે છે. શુગરના લેવલને કંટ્રોલ કરવા માટે તેમને ઈન્સ્યુલિન લેવું પડે છે જે ઇમ્યુનિટીને દબાવી દે છે. આ ફંગસને શરીરમાં પ્રવેશવાનો રસ્તો આપે છે અને નુકસાન કરે છે.