બરવાળા લઠ્ઠાકાંડમાં ગામડાઓમાં એક ચિતા ઠંડી ના થાય ત્યાં તો બીજી ચિતા તૈયાર થઇ જાય છે. ત્યારે આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં મોતનો કુલ આંક 40ને પાર પહોંચી ગયો છે.
બોટાદના દેવગણા ગામે 5 લોકોના મૃત્યુ
માતા વિનાના 4 બાળકોના પિતાનું મૃત્યુ થતા બાળકો અનાથ
બોટાદના રોજીદ ગામે આ લઠ્ઠાકાંડે 11 લોકોનો ભોગ લીધો
બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ત્યારે આ ઘટનામાં અનેક પરિવારના લોકોની જિંદગી હોમાઇ ગઇ છે. ત્યારે બોટાદના દેવગણા ગામે 5 લોકોના મૃત્યુ થયા છે. જેમાં માતા વિનાના 4 બાળકોના પિતાનું મૃત્યુ થતા બાળકો અનાથ થયા છે.
બોટાદના દેવગણા ગામે 35થી 60 વર્ષની ઉંમરના 5 લોકોના મૃત્યુ
મહત્વનું છે કે, આ લઠ્ઠાકાંઠમાં અનેક ગામડાઓમાં કેટલાંય પરિવારના લોકોએ જીવ ગુમાવ્યો છે. જેથી મૃતક પરિવારોમાં ભારે માતમ છવાયો છે. ત્યારે બોટાદના દેવગણા ગામે 35થી 60 વર્ષની ઉંમરના 5 લોકોના મૃત્યુ થયા છે. જેમાં માતા વિનાના 4 બાળકોના પિતાનું મૃત્યુ થતા ચારેય બાળકો અનાથ થઇ ગયા છે.
હવે આ અનાથ બાળકોનું કોણ?
ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે હવે આ અનાથ બાળકોનું કોણ? પિતાએ કરેલી ભૂલમાં આ માસૂમ બાળકોનો શું વાંક? શું થશે હવે બાળકોનું? કોણ તેમની માટે છત્રછાયા બનીને આવશે? સાથે તેમને ખાવા-પીવાની અને રહેવાની સુવિધા કોણ આપશે? શું સરકાર આવા બાળકોને કોઇ મદદ કરશે કે કેમ? જેવાં અનેક પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે.
રોજીદ ગામે આ લઠ્ઠાકાંડે 11 લોકોનો ભોગ લીધો
બીજી બાજુ બોટાદના રોજીદ ગામે આ લઠ્ઠાકાંડે 11 લોકોનો ભોગ લીધો છે. જેમાંથી એક જ પરિવારના 3 લોકોએ આજે જીવ ગુમાવ્યો છે. રોજિદના વાઘેલા પરિવારે પોતાના 3 સભ્યો ગુમાવ્યા છે. જેના લીધે સમગ્ર પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. એક જ પરિવારમાંથી વશરામભાઇ પરમાર, શાંતિભાઈ અને દિપક એમ કુલ 3 લોકોના નિધન થયા છે.