દેશમાં કોરોનાથી થઇ રહેલા મોતની વચ્ચે કેરળથી ખૂબ જ દુ:ખદાયક તસવીલ સામે આવી છે. અહીંયા 4 મહિનાના કોરોના સંક્રમિત બાળકનું મોત થઇ ગયું જેને સ્વાસ્થ્યકર્મીઓએ જ દફનાવ્યું. બાળકનો એક દિવસ પહેલા જ રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો હતો. એને દિલની બિમારી સાથે સાથે ન્યૂમોનિયા પણ હતો.
કહેવાય છે શરીર જેટલુ નાનું હોય છે એટલુ ભારે હોય છે...આ ફોટો કોરોના સંક્રમિત એ ચાર મહિનાના બાળકના શબની છે જેનું મોત થઇ ગયું છે. કોરોનાએ અત્યાર સુધી દેશમાં 700 થી વધારે લોકોના જીવ લીધા છે પરંતુ એમાંથી આ મોત સૌથી વધારે દુ:ખ અપાવનારું છે. બાળકના મોત બાદ એવે હોસ્પિટલના સ્વાસ્થ્યક્રમીઓએ દફનાવ્યું. એનાથી વધારે દુ:ખ ભર્યું તો એ હતું કે પરિવારનો કોઇ પણ સભ્ય બાળકની માતા કે પિતા એને છેલ્લી વખત પણ જોઇ શક્યું નહીં. દેશમાં કોરોનાથી આ સૌથી વાવી ઉંમરના બાળકનું મોત જણાવવામાં આવી રહ્યું છે. બાળકનો રિપોર્ટ એક દિવસ પહેલા જ કોરોના પૉઝિટિવ આવ્યો હતો અને શુક્રવારે સવારે એનુ મોત થઇ ગયું.
હૃદયની બિમારીનો સામનો કરી રહ્યું હતું બાળક
કેરળમાં જે 4 મહિનાના બાળકનું મોત થયું એનો કોઝિકોડના મેડિકલ કૉલેજમાં સારવાર ચાલી રહી હતી. એને છેલ્લા 3 મહિનાથી હૃદયની બિમારી હતી અને ન્યૂમોનિયા પણ હતો. એક દિવસ પહેલા જ એનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો હતો.
દફનાવતી વખતે સ્વાસ્થ્યકર્મી પણ રડી પડ્યા
બાળકના મોત બાદ કોઝિકોડમાં જ કન્નામબરમ મસ્જિદમાં સ્વાસ્થ્યકર્મીઓએ એને દફનાવી દીધું. એ દરમિયાન તેઓ પણ પોતાના આંસુ રોકી શક્યા નહતા. કેરળમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતથી 3 લોકોના મોત થઇ ચુક્યા છે.
બાળકના પેરેન્ટ્સની નહતી કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી
બાળક મલપ્પુરમનો રહેવાસી હતો. એને કોરોના સંક્રમણ કોનાથી થયો, એ જાણવા માટે માચા-પિતા બંનેના સેમ્પલ લેવામાં આવ્યા છે. એમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. પરંતુ સારવાર માટે એને વારંવાર હૉસ્પિટલ લઇ જવો પડતો હતો.
ઓપન હાર્ટ સર્જરી માટે લાવવામાં આવ્યો હતો હૉસ્પિટલ
બાળકને ઓપન હાર્ટ સર્જરી માટે હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ તબિયત બગડતી જોઇને એનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કોરોના હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કેરળમાં 447 કન્ફર્મ કેસ આવી ચુક્યા છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. બાળકને દફનાવ્યા બાદ સ્વાસ્થ્યકર્મીઓએ પોતાની જાતને પણ સેનિટાઇઝ કર્યા હતા.