મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પાઇસ જેટની સુરત-મુંબઇની એક ફ્લાઇટ લેન્ડ થઈ રહી હતી. તે સમયે ફ્લાઇટમાં સવાર એક ચાર મહિનાની રીયા નવીન જિંદાલ નામની બાળકીનું મોત નિપજ્યું હતું.
મુંબઇ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડિંગ સમયે બાળકીનું મોત
તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડાઇ
4 માસની બાળકી હોવાનું ખુલ્યું
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત અનુસાર, સ્પાઇસ જેટની આ ફ્લાઇટ શનિવારે સવારે 7:50 કલાકે સુરત એરપોર્ટ પરથી મુંબઇ જવા માટે ટેકઓફ થઈ હતી. જેમાં એક ચાર મહિનાની બાળકી અને તેની માતા તેમજ તેના દાદા અને દાદી બેઠાં હતા. આ ફ્લાઇટ મુંબઇ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ સવારના 8:50 કલાકે લેન્ડ થઈ રહી હતી.
ફ્લાઇટ લેન્ડિંગ સમયે બાળકી બની બેભાન
આ દરમિયાન બાળકી અચાનક બેભાન થઈ ગઈ હતી. જો કે, આ ઘટનાથી ડઘાઇ ગયેલી માતાએ તાત્કાલિક અસરથી ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. જેથી ક્રૂ મેમ્બરે ATC ને જાણ કરીને એમ્બ્યુલન્સને એરપોર્ટ પર બોલાવવાની વ્યવસ્થા કરી હતી. જ્યાંથી બાળકીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
ક્રુ મેમ્બરને ન કરાઇ જાણ
એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, “માતાએ ડોકટરોને જણાવ્યું કે તેણીએ સવારે 5.30 કલાકે દીકરીને ખવડાવ્યું હતું, ત્યારબાદ બાળકી સૂઈ ગઇ હતી. પરિવારે જોયું કે બાળકી ફ્લાઈટમાં કોઈ હિલચાલ કરતી નથી બાળકી સૂઈ રહી છે એવું માનીને પરિવારે ક્રુને તેની સૂચના આપી નહોતી. જો કે, બાળકીને નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં પ્રવેશ પહેલાં જ તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.