અમરેલી: અમરેલીમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે. ગીર જંગલના પૂર્વ વિસ્તારમાં વધુ એક સિંહબાળનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. 4 માસના નર સિંહબાળનું ઈનફાઈટના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અમરેલીના સાવરકુંડલાની વડાલ વીડીમાં ઈનફાઈટ થઈ હોવાનુ પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. સિંહે બાળસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘાયલ સિંહબાળને રેસ્ક્યુ કરી સારવાર્થે લઈ જવાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન મોત થયાનું સામે આવ્યું છે.
7 નવેમ્બરે ઘાયલ સિંહનું રેસ્ક્યુ કરાયું હતું(પાંચ દિવસ પહેલા)
અમરેલીમાં આ અગાઉ એક સિંહનું મોત થયું હતું. રાજુલા રેન્જના વાવેરા વિસ્તારમાં સિંહનું મોત થયુ હતું. 7 નવેમ્બરે આ ઘાયલ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. તેમનું પણ સારવાર દરમિયાન સિંહનું મોત નિપજ્યું હતું. ઇનફાઇટમાં સિંહ ઘાયલ થયો હોવાનો વન વિભાગે દાવો કર્યો હતો.
ખાંભાના ખડાધાર રેવન્યૂ વિસ્તારમાં 3 સિંહબાળનાં મોત(ઓક્ટોબર)
ખાંભાના ખડાધાર રેવન્યૂ વિસ્તારમાં 3 સિંહબાળનાં મોત થયા હતા. ઈન્ફાઈટમાં સિંહબાળના મોત થયા હોવાનું પ્રાથમીક તારણ. આ મોત મામલે વનવિભાગે દાવો કર્યો હતો કે ઈન્ફાઈટના કારણે જ સિંહના મોત થયા છે. તમામ મૃત સિંહની બોડી પર દાંતના ઘા મળી આવ્યા છે.