રાજકોટઃ શાપરમાં 6 મેના રોજ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં આગ લાગતા 4 કરોડની મગફળી બળીને ખાખ થઈ હતી. આ ઘટના બાદ તપાસના દોર શરૂ થયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને FSLની ટીમ દ્વારા તપાસ કરવા માટે સેમ્પ્લ લેવામાં આવ્યા હતા. સાથે જ CID ક્રાઈમે પણ આગ લાગવાના મામલે તપાસ શરૂ કરી હતી.
જોકે હવે આ ઘટનાને 3 મહિના થયા બાદ પણ અત્યાર સુધી કોઈ વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી નથી. વેલ્ડીંગ મશીનના કારણે ગોડાઉનમાં આગ લાગી હોવાનુ CID ક્રાઈમે જણાવ્યુ હતુ. આ આગમાં શાપરનુ અડધુ ગોડાઉન બળીને ખાખ થયુ હતુ. આ ઘટનાને 3 મહિના થયા બાદ પણ હજી સુધી FLSનો રિપોર્ટ આવ્યો નથી. આ મામલે કોઈને બચાવવામાં આવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.
જેનાથી અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. 3 મહિના વિતી ગયા છતા અત્યાર સુધી કેમ નથી થઈ તપાસ? 4 કરોડની મગફળી બળીને ખાખ કેમ નથી થઇ તપાસ? FSLની ટીમે સેમ્પલ લીધા પણ રિપોર્ટ કેમ ન આપ્યો? જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ પણ અત્યાર સુધી રિપોર્ટ કેમ ન આપ્યો? CID ક્રાઈમે અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કેમ નથી કરી? રિપોર્ટ ન આપવા પાછળ કોણ દબાણ કરી રહ્યું છે?
કોઇને બચાવવા રિપોર્ટ દબાયેલો રાખ્યો છે? તપાસ ઢીલી કરવા પાછળ ક્યા કારણો જવાબદાર? શું કોઇને છાવરવાના પ્રયાસ થઇ રહ્યાં છે? 3 મહિના થયા બાદ શું પોલીસને કોઈ પુરાવા નહીં મળ્યા હોય? શું પોલીસ પર કોઈ રાજકીય દબાણ થઈ રહ્યુ છે? શાપરના અગ્નિકાંડની ક્યારે થશે તપાસ? શું કાંડમાં સંડોવાયેલા લોકોને બચાવવા માટે વહીવટ થયું છે?