પાટનગર ગાંધીનગરના કુડાસણ નજીક આકાર પામી રહેલ પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બુધવારની બપોર બાદ અચાનક દિવાલ ધસી પડતા 4 શ્રમિકો દટાયા હતા. જો કે, અન્ય શ્રમિકો દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને દવાખાને પણ ખસેડવામાં આવ્યા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં દિવાલ ધરાશાયી થતા શ્રમિકોના મોત
કુ઼ડાસણ ખાતે પ્રમુખ ઓર્બિટની સાઇટનો બનાવ
ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાગીદાર હોવાનું ખુલ્યું
આ બનાવ અંગે પ્રાપ્ત થતા અહેવાલ મુજબ અનુસાર, કુડાસણમાં બની રહેલી એક પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની સાઇટ પર આજે કન્સ્ટ્રક્શન સાઈટ પર કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક દિવાલ ઘસી પડતા ચાર શ્રમિક માટીમાં દટાઈ ગયા હતા.
પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની સાઇટ પર દબાયા 4 શ્રમિક
જો કે, આ ઘટના અંગેની જાણ થતાં જ કન્સ્ટ્રક્શન સાઈટ પર હાજર રહેલા અન્ય શ્રમિક તથા લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને દબાયેલા લોકોને બચાવવા કામગીરી હાથ ધરી હતી અને તંત્રને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
દિવાલ નીચે દબાયેલા શ્રમિકોને તાત્કાલિક અસરથી બહાર કાઢીને તેમને ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાગીદાર હોવાનું આવ્યું સામે
પ્રમુખ ઓર્બિટની સાઈટમાં 4 લોકોના મોતનો મામલો વધુ એક ખુલાસો થયો છે. ઓર્બિટમાં ભાજપના પુર્વ ધારાસભ્યની ભાગીદારી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ જેસંગ દેસાઈની ભાગીદારી સામે આવી છે.