શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં LoCની પાસે સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ નથી કરી કારણ કે માર્યા ગયેલ આતંકવાદીઓના મૃતદેહ હજુ મળ્યા નથી.
સૂત્રોએ આ કહેતા પુષ્ટિ કરી કે અથડામણ ગુરૂવારે સાંજે ઉરી સેક્ટરના બોનિયાર જંગલોમાં થઇ હતી. તેમણે કહ્યું આ અભિયાનમાં ચાર આતંકવાદી ઠાર થયા છે. વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ છે.
ત્યારે શ્રીનગરમાં શુક્રવારે અલગાવવાદીઓ તરફથી કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા માટે અધિકારીઓએ પ્રતિબંધ લગાવી દિધો છે.
નૌહટ્ટા ખાનયાર રૈનવાડી એમઆરગંઝ સફા કદાલ અને મૈસૂમામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ અને સીઆરપીએફના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.