જામનગર-ધ્રોલ હાઈવે પર કારે પલટી ખાતા કારમાં સવાર પાંચ લોકોમાંથી ચારના ઘટના સ્થળે જ મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
જામનગરમાં સોયલ પાસે કાર પલ્ટી ખાતા ચારના મોત
જામનગર-ધ્રોલ હાઈવે પર કારે મારી પલટી
કારમાં કુલ પાંચ મુસાફરો હતા સવાર
જામનગર-ધ્રોલ હાઈવે પર જઈ રહેલી કારમાં પાંચ મુસાફરો સવાર હતા ત્યારે વહેલી સવારે અચાનક જ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર જણાના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતી.
જામનગરની સવાર મોતની ખબર લઈને આવી હતી જેમાં. વહેલી સવારે ધુમ્મસના આવરણમાં કાર ચાલકનો કાબુ સ્ટેરિંગ ઉપરથી ગયો અને બસ કાર પલટી મારી ગઈ સીધી કેનાલમાં ખાબકી અને ગોઝારો અકસ્માત સર્જાયો.
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રથામિક તપાસમાં બહાર આવ્યો છે.