પાકિસ્તાનના લાહોર સ્થિત દાતા દરબાહ દરગાહની બહાર મોટો બ્લાસ્ટ થયો છે, જેમાં અત્યાર સુધી 4 લોકોના મૃત્યુ થવલાની માહિતી મળી છે આ ઉપરાંત 19થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં મરનારની સંખ્યામાં વધારો થઇ શકે છે. દાતા દરબાર એક સૂફી દરગાહ છે.
લાહોર: પાકિસ્તાનમાં વધુ એક બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમુદાયના પવિત્ર માસ રમઝાન મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે.
પાકિસ્તાનના લાહોરમાં આવેલી દાતા દરગાહ પાસે આ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ચાર પોલીસકકર્મીઓનાં મોત થયા છે. તો બ્લાસ્ટમાં 19 લોકોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહત્વની વાત છે કે, સુરક્ષાબળની મોબાઈલ વાનને નિશાન બનાવવામાં આવી હતી. લાહોરની આ સૂફી દરગાહ છે કે જ્યાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જો કે, બ્લાસ્ટ કોણે કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બ્લાસ્ટ બાદ ઘટના સ્થળે પોલીસ અને સુરક્ષાબળના જવાનો પહોંચ્યા છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.