કચ્છઃ રાપરના પલાસવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીપ પટલી ખાઇ જતા 4 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 5ને ગંભીર ઈજા થઇ છે. રાજસ્થાનથી કચ્છ તરફ જતા દુર્ઘટના થઇ હતી.
તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાધનપુર ખસેડાવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોચ્યો હતો. ત્યારબાદ આડેસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે પુરપાટ ઝડપે આવતી કારના ડ્રાઇવરે કાબુ ગુમાવતા જીપ પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 2ના ઘટના સ્થળે અને 2ના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે.
જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઇને તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.