રાજ્યના 1988 અને 1989ની બેચના 4 IAS અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આ અધિકારીઓને હાલ ની તેમની ફરજની જગ્યાએ યથાવત રાખી અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.
જે અગ્ર સચિવો ને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં અનિતા કરવલ (૧૯૮૮) ચેર પરસન CBSE નવી દિલ્હી, સંજય નંદન (૧૯૮૮) MD ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન, અનુરાધા મલ (૧૯૮૮) CEOGSDMA ગાંધીનગર, પંકજ જોશી (૧૯૮૯) અગ્ર સચિવ ઊર્જાને અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપવામાં આવી છે.
અરવિંદ અગ્રવાલની GSFCના ચેરમેન તરીકે નિયુક્તિ
અરવિંદ અગ્રવાલની GSFCના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. હાલ અરવિંદ અગ્રવાલ રજા ઉપર ઉતરી ગયા છે. મુખ્ય સચિવ તરીકે નિયુક્ત ન થતાં તેઓ રજા પર ઉતરી ગયા હતાં. નાણાં વિભાગના મુખ્ય અગ્ર સચિવ તરીકે તેઓ ફરજ બજાવે છે. અનિલ મૂકીમને ચીફ સેક્રેટરી બનાવાતા તેઓ રજા પર ઉતરી ગયા હતાં. એપ્રિલ 2020માં વય મર્યાદાને કારણે અગ્રવાલ નિવૃત્ત થવાના છે. 1 વર્ષ સુધી GSFCમાં નિયુક્તિ થતાં નિવૃત્તિ પહેલાં જ તેમને એક્સટેન્શન મળી ગયું છે.