બિહારના પટણામાં 2013 ની સાલમાં પ્રધાનમંત્રી મોદીની રેલીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં કોર્ટે 4 આતંકીઓને ફાંસની સજા અને 2 ને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
પટણા બ્લાસ્ટ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો
4 આતંકીઓને ફાંસીની સજા, 2 ને આજીવન કારાવાસ
2013 ની સાલમાં પ્રધાનમંત્રી મોદીની રેલીમાં થયો હતો બ્લાસ્ટ
પ્રધાનમંત્રી મોદીની 2013 ની રેલમાં થયેલા બ્લાસ્ટ કેસમા કોર્ટે મોટો ટુકાદો જાહેર કર્યો છે. NIA કોર્ટે ગાંધી મેદાન સીરિયલ બ્લાસ્ટ કેસમાં 4 દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે, 2 દોષીઓને આજીવન કારાવાસ, 1 દોષીઓને 10 વર્ષની સજા અને એક દોષીને 7 વર્ષની આકરી સજા ફટકારી છે.
2013 Patna Gandhi Maidan serial blasts | NIA Court Patna pronounces quantum of punishment for 9 convicts-4 get capital punishment, 2 get life imprisonment, 2 get 10-yr imprisonment&one gets 7-yr imprisonment
Blasts had occurred at venue of then PM candidate Narendra Modi’s rally
આ ચુકાદો બરાબર 8 વર્ષ પછી આવ્યો છે આ એક સંયોગ છે કે કોર્ટે 27 ઓક્ટોબર, 2013ના રોજ પટના શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં બરાબર 8 વર્ષ બાદ 27 ઓક્ટોબર, 2021ના રોજ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
આ દોષિતોને ફાંસીની સજા
હૈદર અલી
નોમાન અન્સારી
મો. મુજીબુલ્લાહ અન્સારી
ઇમ્તિયાઝ આલમ
આ દોષિતોને આજીવન કેદની સજા
ઓમર સિદ્દીકી
અઝહરુદ્દીન કુરેશીને આજીવન કેદની સજા
આ બંને દોષિતોને દસ વર્ષની સજા
અહમદ હુસૈન
મો. ફિરોઝ અસલમ
એક દોષિતને સાત વર્ષની સજા
પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. પટના જંકશનના પ્લેટફોર્મ નંબર ૧૦ પર બોમ્બ વિસ્ફોટ પણ થયો હતો. છ લોકો માર્યા ગયા હતા જ્યારે ૮૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આઠ વર્ષ બાદ એનઆઈએની વિશેષ અદાલતે બુધવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
8 વર્ષ પહેલા પીએમ મોદીની હુકાંર રેલીમાં થયા હતા સીરિયલ બ્લાસ્ટ
પીએમ મોદીની હુકાંર રેલીમાં વિસ્ફોટ કેસની તપાસ કરી રહેલી એનઆઈએની ટીમે 2014માં મુખ્ય આરોપી રાંચી નિવાસી ઇમ્તિયાઝ અન્સારી સહિત 10 વ્યક્તિઓ સામે એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તમામ આરોપીઓ હાલમાં બેઉર જેલમાં ચુસ્ત સુરક્ષા હેઠળ બંધ છે.
પટણા બ્લાસ્ટ કેસના મુખ્ય મુદ્દાઓ
- ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં એફઆઈઆર 27 ઓક્ટોબર, 2013ના રોજ પટણાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
- NIAએ 31 ઓક્ટોબર, 2013ના રોજ આ કેસ સંભાળ્યો હતો અને 1 નવેમ્બરે દિલ્હી એનઆઈએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફરી નોંધાવી હતી.
- NIAએ સગીર સહિત 12 સામે ચાર્જશીટ દાખલ કરી હતી
- એક આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- કિશોર આરોપીને જુવેનાઇલ બોર્ડ દ્વારા ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
-પીએમ નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર, 2013ના રોજ ગાંધી મેદાનમાં ભાજપની હુંકાર રેલીને સંબોધિત કરવા પટના આવ્યા હતા.
- આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને ૮૯ ઘાયલ થયા હતા.