કચ્છઃ ભુજનો ભૂકંપ પછી શહેરનો વિસ્તાર વધ્યો છે. આ પ્રમાણે જોઇએ ફાયર સ્ટેશનની સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી. હમણા જ ગાંધીધામના ગોડાઉનમાં ભીષણ આગથી કરોડોનું નુક્શાન થયું હતું. આવી કોઈ બીજી કોઈ ઘટના ભુજમાં બનતી અટકાવવા ભુજ નગરપાલિકા સક્ષમ છે ?
કોઇ મોટી દુર્ધટના સર્જાયતો ભુજ ફાયર સ્ટેશન પહોચી વળી શકે છે?
કેન્દ્ર સરકારની ગાઈડ-લાઈન પ્રમાણે 10 સ્કેવર કિલોમીટર વિસ્તારમાં એક ફાયર સ્ટેશન હોવુ જોઈએ. ભૂકંપ પહેલા ભુજ 9 સ્કવેર કિલોમીટર વિસ્તરેલું હતું. તે પ્રમાણે ફાયર સ્ટેશનની સ્થિતિ છે તે આજે પણ યથાવત્ છે. છેલ્લા વર્ષોમાં ભુજનો વિસ્તાર 4 ગણો વધ્યો છે.
જે હાલ જોતા ભુજમાં 4 થી વધુ ફાયર સ્ટેશન હોવા જોઈએ તેની જગ્યા એક પણ બરાબર નથી. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દરેક ફાયર સ્ટેશનમાં 74નો કર્મીનો સ્ટાફ હોવો જોઈએ તેના બદલે હાલમાં 30 જેટલો સ્ટાફ છે. એક સમયમાં આગને કાબુમાં લઈ શકે પણ કોઈ મોટો દુર્ઘટના સમયે ફાયર સ્ટેશન પાસે કોઈ વધારાનો સ્ટાફ નથી.
ભુજ નગરપાલિકાનો દરજ્જો હોવા છતાં શહેરની સમસ્યા હલ નહિ કરી શકે તો કોણ કરશે ? ઘટના બને ત્યારે મેનેજ ન થાય તો તેનો અર્થ કાઈ કામનો રહેતો નથી. એ પ્રમાણે જ એક સમસ્યા છે ગેસ ગણતરની આ ઘટના બને ત્યારે ફાયર સ્ટેશન પાસે તેના માટેના સાધનો નથી જે ગેસ ગળતરને સમેટી શકે. સાધનો વગર કામ કરવું જોખમકારક છે. ગેસ ગળતરમાં ઝેરી ગેસ હોવાથી તેના માટે બ્રેધરીંગ એપ્રેસ્ટ હોવો જોઈએ. જેથી ફાયર કર્મી બચાવ કામગીરી કરી શકે.
કર્મચારીઓને ઓછા પગારે નથી પોષાતી જોખમી નોકરી
ભુજ ફાયર સ્ટેશનમાં અપૂરતો સ્ટાફ છે તેમ પણ હંગામી ધોરણે ભરતી કરેલી છે. તેમાં ફાયરમેનનો પગાર ખુબજ ઓછો છે. ત્યાં નોકરી કરતા એક યુવાને પોતાની વેદના ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે આવી મોંઘવારી પ્રમાણે આ નોકરી તેમને પોષાતી નથી.
અમે જાનના જોખમે કામ કરવાનું અને ઘટના વખતે અમને ગમે તે થઈ શકે તો નગરપાલિકા જવાબદારી ના લેતો અમારા પરિવાર નું શુ થાય? સાધન વગર લડાઈ જીતી શકાતી નથી સાધન હોય તો આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવા સ્ટાફ તૈયાર છે. આમ કહી શકાય કે કચ્છનું પાટનગર ભુજ કોના ભરોસે ?