4 December Ahmedabad people 1078 crores rupees gift CM Vijay Rupani
અમદાવાદ /
આવતીકાલે CM રૂપાણી અમદાવાદીઓને રૂ.1078 કરોડની આપશે ભેટ
Team VTV08:23 PM, 03 Dec 20
| Updated: 08:42 PM, 03 Dec 20
કોરોના કહેર વચ્ચે રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 3 મહિના સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને 15 ડિસેમ્બર બાદ વહીવટદારની નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેને લઇને સત્તાધારી પાર્ટી દ્વારા 72 પ્રજાકીય કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાની જનતાને રૂ.1078 કરોડની ભેટ આપશે.
અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા રૂપાણી સરકાર અમદાવાદની જનતાને આપશે ભેટ
CM રૂ.1078 કરોડના વિકાસકાર્યોનું આવતીકાલે કરશે ઈ-લોકાર્પણ
બગીચા, બ્રીજ, હાઉસિંગ, વો.ડી. સ્ટેશન સહિતના કામોનો સમાવેશ
4 ડિસેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અંદાજે 1078 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ અને મંજૂર કરવામાં આવેલ કામોને ઇ-લોકાર્પણ અને ખાતમુર્હૂતથી પ્રજાને ભેટ કરવામાં આવશે. જેમાં બગીચા, બ્રીજ, હાઉસિંગ, વો.ડી. સ્ટેશન, એસ.ટી.પી અને ટેનિસ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના હસ્તે 72 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ખાતમુર્હત કરવામાં આવશે
બગીચા, બ્રીજ, હાઉસિંગ, વો.ડી. સ્ટેશન સહિતના કામોનો સમાવેશ
AMC દ્વારા બોપલ વિસ્તારની ડમ્પ સાઇટ ક્લીયકર કરીને જગ્યા પર ઇકોલોજી પાર્ક તૈયાર કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંદાજેત 5.45 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવશે. તો ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, રાણીપ, વાસણા અને નરોડામાં 8.49 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા 8 બગીચાના લોકાર્પણ કરવામાં આવશે. જેમાં લાંભા વોર્ડના સૈજપુર ગામમાં 6.60 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ વો.ડી. સ્ટેશન, ખોખરા વોર્ડમાં ગુજરાત કામદાર ખાતે 9.75 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ વો.ડી. સ્ટેશન અને સરખેજ વોર્ડમાં 17.70 કરોડના ખર્ચથી તૈયાર થયેલ વો.ડી. સ્ટેશનના લોકાર્પણ થસે. વોટર પ્રોજેક્ટ વિભાગના અંદાજે 115 કરોડના કામોનું પણ મુખ્યમંત્રી ઓનલાઇ લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.