રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આજરોજ ફરી એકવાર શનિવાર ગોઝારો સાબિત થયો હતો, વડોદરાના પાદરા નજીક આવેલ એમ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારે આ તરફ જૂનાગઢના વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડતા 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
શનિવાર બન્યો ગોઝારો
વડોદરા-જૂનાગઢમાં દુર્ઘટના
વડોદરામાં 8 લોકોના મોત, જૂનાગઢમાં 6 લોકોના મોત
જૂનાગઢના વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે. વિસાવદરથી ધારી રોડ પર બસ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
6 લોકોના કમકમાટીભર્યા મોત
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢના વિસાવદર હાઇવે પર પસાર થતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનાને પગલે 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
25 જેટલા મુસાફરો થયાં ઘાયલ
પ્રાથમિક જાણકારી મુજબ, આ બસમાં 50થી વધુ લોકો સવાર હતા. જે પૈકીના 25 જેટલા લોકોને નજીકના દવાખાને સારવારે અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
ગઇકાલે મોડી રાતે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
આપને જણાવી દઇએ કે, શુક્રવારની મોડી રાતે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ડબલ ડેકર બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. જો કે, ત્યારબાદ બંન્ને વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં 20 યાત્રીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.