જૂનાગઢના મેંદરડા પાસે તળાવમાં એક કાર ખાબકી હતી જેમાં સવાર ચારેય યુવાનોના મોત થઈ ગયા છે આ ચારેય યુવાનો ગોધરાના રામપુરના રહેવાસી છે. મંગળવાર રામપુર વાસીઓ માટે અમંગળ બન્યો હતો કારણ કે ચારેય યુવાનો પટેલ પરિવારના છે અને ઘરેથી શનિવારે વીરપુર દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ હવે તેમની લાશ ગામમાં પરત આવતા આખુ રામપુર હીબકે ચઢ્યુ હતુ.
જૂનાગઢ મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકી
કારમાં બેઠેલા 4 યુવાનોના મોત
ગોધરાથી ગુમ થયેલા ચાર યુવાનોના મોત
જૂનાગઢ મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકી હોવાની વધુ એક ઘટના સામે આવી છે.આ ઘટનામાં કારમાં બેઠેલા 4 યુવાનોના મોત નિપજ્યા છે.ગોધરાથી ગુમ થયેલા ચાર યુવાનોના મોત થયા છે. બે દિવસથી યુવાનો હતા ગોધરાથી ગુમ થયા હતા.ફાયરબ્રિગેડ દ્વારા ગાડી કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. ગોધરાના રામપુરા ગામના 4 યુવાનો ગુમ થયા હતા. જેને આજે મૃત દેહ મળી આવતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે.
શનિવારે નીકળ્યા હતા યુવાનો
શનિવારે 7મી ડિસેમ્બરના રોજ રામપુર ગામના ચાર યુવાનો વીરપુર દર્શન જવા કાર લઈને નીકળ્યા હતા પરંતુ રવિવારથી જ તેનો કોઈ સંપર્ક કરી શકાયો ન હતો. તેનો છેલ્લો સંપર્ક જૂનાગઢના મેંદરડા હાઈવે ઉપર થયો હતો જેને પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
અકસ્માત કેવી રીતે થયો
પોલીસ હજુ સુધી એ તપાસ કરી રહી છે કે કાર તળાવમાં કેવી રીતે ખાબકી ગઈ. અને સ્થાનિક લોકને આ અંગે જાણ કેમ ન થઈ. આ અકસ્માત કેવી રીતી સર્જાયો.
ચારેય યુવાનો ગોધરાના રામપુર ગામના
ચારેય યુવાનો ગોધરાના રામપુર ગામના વતની છે જેમના નામ પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહિત પટેલ, જીદર પટેલ છે. આ તમામ ગોધરા રામપુરના વતની છે અને ચારેય યુવાનો વીરપુર આવવા માટે ગાડી લઈને ઘરેથી નીકળ્યા હતા.
રામપુર હિબકે ચઢ્યુ
એક સાથે ગામના 4 યુવાનોને ગુમાવી દેતા રામપુર ગામમાં શોક છવાયો હતો અને આખુ ગામ હિબકે ચઢ્યુ હતુ. ચારેય નવજુવાનો પટેલ પરિવારના છે.